મહેસાણામાં રાજ્યનો પ્રથમવાર એવો રોડ તૈયાર થયો છે જે લોકો માટે આકર્ષનું કેન્દ્ર બન્યો છે ગટર ઉપર, જાણો નાગરિકોને મળશે આ નવી સુવિધા કમળ પથ રોડ બનતા મોઢેરા રોડ અને રાધનપુર રોડ વચ્ચે 3 કિ.મીનું અંતર ઘટશે,મહેસાણામાં હવે મોઢેરા રોડ અને રાધનપુર રોડ વચ્ચેનું 3 કિ.મી અંતર ઘટી જશે કેમ કે મહેસાણામાં 62 કરોડના ખર્ચે રાજ્યનો પ્રથમ ગટર પર રોડ તૈયાર કરવામાં આવ્યો છે. આ રોડ બનતા હવે મોઢેરા અને રાધનપુર રોડ વચ્ચે 3 કિ.મી સુધીનું અંતર ઘટી જશે. આ નવો રોડ 12 સપ્ટેમ્બરના રોજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે
તૈયાર થયેલા રોડનુ નામ કમળ પથ આપવામાં આવ્યું
ઉલ્લેખનીય છે કે અહીં પહેલા ગટરનું ગંદુ નાળું જોવા મળતુ હતું જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે ગંદકી પણ ફેલાયેલી રહેતી હતી તેમજ મચ્છરોનો ઉપદ્ધવ અને વરસાદી પાણીનો ભરાવો પણ થતો હતો ત્યારે હવે આ ગટરના ગંદા નાળા પર રોડ બની જતા શહેરીજનોને આ બધી સમસ્યાઓનમાંથી છુટકારો મળ્યો છે. મહેસાણામાં તૈયાર થયેલા રોડનું નામ કમળ પથ રોડ આપવામાં આવ્યુ છે. કમળ પથ રોડ બનતા હવે નાગરિકોમાં ખુશી જોવા મળી રહી છે.
ગટર ઉપર બનેલા આ રોડ નીચે મોટી ગટરો આવેલી છે. આ રોડ 2.5 કિલોમીટર લાંબી આ ગટર મહેસાણાના રાધનપુર રોડ અને મોઢેરા રોડને જોડે છે.આમ તો આ બે રોડ વચ્ચે 5.5 કિમીનું અંતર છે પરતું હવે ગટર ઉપર બનેલા રોડને કારણે અંદાજીત 3 કિ.મી જેટલું અંતર ઘટી શજે અગાઉ આ વિસ્તાર ગંદા નાળા તરીકે જાણીતો હતો પણ હવે આ કમળ પથ તરીકે જાણીતો બન્યો છે આ રોડ લોકો ના આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો મહેસાણા શહેર માટે આ ડ્રિમ પ્રોજેકટ માનવામાં આવે છે ત્યારે આગામી 12 સપ્ટેમ્બરથી મહેસાણાના નગરજનો માટે આ રોડ ખુલ્લો મુકવામાં આવશે.