આવનારા સમયમાં ગ્રાહકો પોતાની આસપાસની કોઈ પણ ગેસ એજન્સીથી રસોઈ ગેસ બુક કરી શકે છે.
જે એજન્સી સારી સેવા આપી રહી છે ત્યાંથી સિલેન્ડર બુક કરાવી શકશો
3 કંપનીઓ મળીને બનાવી રહી છે ખાસ પ્લેટફોર્મ
એડ્રેસ પ્રુફ વગર મળશે 5 કિલોનો સિલેન્ડર
રસોઈ ગેસને લઈને સૌથી મોટી સમસ્યા દૂર થઈ શકે છે. અત્યાર સુધી જે કંપનીનો સિલેન્ડર તમારી પાસે હોય તે જ કંપનીમાંથી તમારે તેને રિફિલ કરાવવો પડતો હતો. હવે નવા કનેક્શન અને એલપીજી સિલેન્ડરોના રિફિલને લઈને મોદી સરકાર સામાન્ય માણસોને મોટી રાહત આપવાની છે. સરકાર અને તેલ કંપનીઓ ગ્રાહકો માટે એલપીજી ગેસ બુકિંગ અને રિફિલની સમગ્ર પ્રક્રિયાને વધારે સરળ કરવા પર કામ કરી રહી છે. સમાચારોનું માનીએ તો દેશમાં એલપીજી અને રિફિલને લઈને જલ્દી મોટો નિર્ણય થઈ શકે છે.
જે એજન્સી સારી સેવા આપી રહી છે ત્યાંથી સિલેન્ડર બુક કરાવી શકશો
દાવો કરવામાં આવી રહ્યો છે કે આવનારા સમયમાં ગ્રાહકો પોતાની આસપાસની કોઈ પણ ગેસ એજન્સીથી રસોઈ ગેસ બુક કરી શકે છે. નવા નિયમો લાગૂ થયા બાદ અલગ અલગ કંપનીઓના રસોઈ ગેસનું અંતર સમાપ્ત થઈ જશે. જે એજન્સી સારી સેવા આપી રહી છે ત્યાંથી સિલેન્ડર બુક કરાવી જલ્દીથી ડિલિવરી મેળવી શકાશે. સૂત્રોના જણાવ્યાનુંસાર ગત વર્ષ એલપીજીના નવા નિયમો પર ચર્ચા થઈ રહી હતી. આ વાત પર વિચાર કરવામાં આવ્યો હતો.
3 કંપનીઓ મળીને બનાવી રહી છે ખાસ પ્લેટફોર્મ
રિપોર્ટ મુજબ જો તમારી પાસે IOCનો સિલેન્ડર છે તો તમે BPCLથી રિફિલ કરાવી શકો છે. નવા નિયમને જલ્દી લાગૂ કરવા માટે ઈન્ડિયન ઓઈલ (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ (HPCL) 3 કંપનીઓ મળીને એક ખાસ પ્લેટફોર્મ બનાવી રહી છે. આનાથી એલપીજી બુકિંગની હાલની વ્યવસ્થા લાગૂ રહેશે એટલે કે ઓટીપી વાળી સિસ્ટમ યથાવત રહેશે.
એડ્રેસ પ્રુફ વગર મળશે 5 કિલોનો સિલેન્ડર
હાલમાં દેશની સરકારી તેલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને સામાન્ય લોકોને રાહત આપતા રસોઈ ગેસ પર એડ્રેસની મર્યાદાને ખતમ કરી નાંખી છે. હવે એડ્રેસ પ્રુફ વગર પણ ગેસ સિલેન્ડર ખરીદી શકાશે. આ ઉપરાંત નાના પરિવારવાળાને સરકાર મોટી રાહત આપવાની યોજના બનાવી રહી છે. હવે તમે 5 કિલો વાળો નાના ગેસ સિલેન્ડરનું કનેક્શન કોઇ પણ એડ્રેસ પ્રુફ વગર લઈ શકો છે. આનો સીધો ફાયદો મહાનગરોમાં રહી રહેલા પ્રવાસી લોકોને થશે. તેમને એડ્રેસ પ્રુફની વ્યવસ્થા કરવાની મુશ્કેલિમાંથી છુટકારો મળશે. તેવામાં નવા નિયમો સુવિધાજનક સાબિત થશે.