Now it is Punjab's turn, after 40 MLAs opened a front against CM Captain Amarinder, the party meeting today said it is time to change the Chief Minister.
રાજકારણ /
હવે પંજાબનો વારો, CM કેપ્ટન અમરિંદર સામે 40 MLAએ મોરચો ખોલ્યા બાદ આજે પક્ષની બેઠક, કહ્યું CM બદલવાનો સમય આવ્યો
પંજાબ કોંગ્રેસના 40 ધારાસભ્યોએ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યાના એક દિવસ બાદ બેઠક બોલાવનામાં આવી છે. આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણીની રણનીતિ તૈયારી અંગે ચર્ચા કરાશે
હરીશ રાવતની ટ્વિટથી પંજાબના રાજકારણ ગરમાવો
સમય આવી ગયો પંજાબમાં સીએમનો ચહેરો બદલાય
આ બેઠકમાં હાઇકમાન્ડના 18 પોઇન્ટના એજન્ડા પર ચર્ચા કરશે.
The AICC has received a representation from a large number of MLAs from the congress party, requesting to immediately convene a meeting of the Congress Legislative Party of Punjab. Accordingly, a meeting of the CLP has been convened at 5:00 PM on 18th September at .....1/2 pic.twitter.com/BT5mKEnDs5
પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે શુક્રવારે મોડી રાત્રે કરેલી ટ્વિટથી રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે. તેમણે ટ્વિટ કર્યું કે શનિવારે સાંજે 5 વાગ્યે ચંદીગઢમાં PPCC હેડક્વાર્ટર ખાતે પંજાબ કોંગ્રેસના વિધાયક દળની બેઠક થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેપ્ટન વિરોધી જૂથ આજે ધારાસભ્ય દળની બેઠકમાં કેપ્ટન અમરિંદર સિંહ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે. તે જ સમયે, કેપ્ટન અમરિંદર સિંહે તેમના સિસ્વાન ફાર્મ હાઉસમાં તેમના સાથી ધારાસભ્યોની બેઠક પણ બોલાવી છે.
સમય આવી ગયો પંજાબમાં સીએમનો ચહેરો બદલાય
બીજી બાજુ અમરિંદર સિંહની સામે મોરચો ખોલતી વખતે નવજોત સિંહ સિદ્ધુના સલાહકાર મોહમ્મદ મુસ્તફાએ ટ્વિટ કર્યું કે 2017 માં પંજાબે અમને 80 ધારાસભ્યો આપ્યા, પરંતુ દુઃખની વાત એ છે કે કોંગ્રેસ પાર્ટી પંજાબને સારો મુખ્યમંત્રી આપી શકી નહીં. પંજાબના દુઃખ અને પીડાને સમજીને મુખ્યમંત્રીનો ચહેરો બદલવાનો સમય આવી ગયો છે.અગાઉ, હરીશ રાવતે ટ્વિટર પર મોડી રાત્રે જાહેરાત કરી હતી કે, 'AICC ને કોંગ્રેસ પક્ષના મોટી સંખ્યામાં ધારાસભ્યો તરફથી રજૂઆત મળી છે, જેમાં પંજાબની કોંગ્રેસ વિધાનસભા પક્ષની તાત્કાલિક બેઠક બોલાવવાની વિનંતી કરવામાં આવી છે. તેથી 18 સપ્ટેમ્બરના રોજ સાંજે 5:00 કલાકે પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિ કાર્યાલયમાં CLP ની બેઠક બોલાવવામાં આવી છે.
કોંગ્રેસ વિધાયક પક્ષની બેઠક PPCC માં બોલાવવામાં આવી
રાવતે એ પણ કહ્યું કે કોંગ્રેસ હાઈકમાન્ડે PPCC ને બેઠકની સુવિધાજનક બનાવવાનો નિર્દેશ આપ્યો છે. રાવતે કહ્યું, "પંજાબના તમામ કોંગ્રેસી ધારાસભ્યોને વિનંતી છે કે કૃપા કરીને આ બેઠકમાં હાજર રહો." થોડીવાર પછી, પંજાબ કોંગ્રેસના વડા નવજોત સિંહ સિદ્ધુએ પણ બેઠક વિશે માહિતી આપી અને ટ્વિટ કર્યું, "AICC દ્વારા નિર્દેશિત કર્યા મુજબ. કોંગ્રેસ વિધાયક પક્ષની બેઠક PPCC માં બોલાવવામાં આવી છે. જોકે કોંગ્રેસ વિધાનસભા પક્ષની આ બેઠકનો એજન્ડા જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ અહીં નોંધનીય છે કે,પંજાબ કોંગ્રેસના 40 ધારાસભ્યોએ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યાના એક દિવસ બાદ આ બેઠક બોલાવવામાં આવી છે.
આ બેઠકમાં હાઇકમાન્ડના 18 પોઇન્ટના એજન્ડા પર ચર્ચા કરશે.
આ પત્રમાં ધારાસભ્યોએ 2022ની શરૂઆતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ તૈયાર માટે CLP ની બેઠક બોલાવવાની માંગ કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ધારાસભ્યોએ પાર્ટી અધ્યક્ષને પત્રો દ્વારા પણ જાણ કરી હતી કે તેઓ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને આપવામાં આવેલા પાર્ટી હાઇકમાન્ડના 18 પોઇન્ટ ના એજન્ડા પર ચર્ચા કરશે.
ગયા મહિને કેટલા ધારાસભ્યોએ મુખ્યમંત્રી સામે અસંતોષનો અવાજ ઉઠાવ્યો હતો
આ ઘટના પર કેપ્ટન અમરિંદર તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે હરીશ રાવત ઉપરાંત દિલ્હીના બે પક્ષ નિરીક્ષકો હરીશ ચૌધરી અને અજય માકન બેઠકમાં હાજર રહેવાની ધારણા છે. ચૌધરી રાહુલ ગાંધીના વિશ્વાસુ અને રાજસ્થાન કેબિનેટમાં મંત્રી છે.તમને જણાવી દઈએ કે ગયા મહિને ચાર રાજ્ય મંત્રીઓ અને કેટલાક ધારાસભ્યોએ મુખ્યમંત્રી સામે અસંતોષનો અવાજ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તેમને હવે વિશ્વાસ નથી રહ્યો કે અમરિંદર સિંહમાં અધૂરા વચનો પૂરા કરવાની ક્ષમતા છે.