ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નિર્દેશ કર્યો થે કે કોવિડ સંબંધિત કોઇ પણ ક્લેમને એક કલાકની અંદર જ ક્લિયર કરી દે, જેથી પેશન્ટને જલ્દી ડિસ્ચાર્જ કરી શકાય.
કોરોના દર્દીઓના બિલ કરવા પડશે ક્લિયર
એક કલાકમાં બિલ કરવુ પડશે ક્લિયર
ઇરડાઇએ આપ્યો આદેશ
28 એપ્રિલે કોર્ટે ઇરડાઇને વિમા કંપનીઓને આ આદેશ આપવા કહ્યું હતુ. કોવિડના પેશન્ટનું બિલ 30 થી 60 મિનીટમાં પાસ કરે અને અદાલતે તે પણ કહ્યું કે બિલને મંજૂરી આપવા માટે વિમા કંપની 6-7 કલાક નહી લગાવી શકે કારણકે તેનાથી અન્ય પેશન્ટને બેડ નથી મળતા.
1 કલાકમાં ક્લિયર કરવુ પડશે બિલ
ઇરડાએ દરેક વિમા કંપનીને કહ્યું કે તે આ વિશે બધા સંબંધિત પક્ષોને જાણકારી આપી દે કે કોવિડ પેશન્ટને હોસ્પિટલમાં ભરતી થવા પર જરૂરી દસ્તાવેજ જમા કરીને એક કલાકમાં આ વસ્તુ પતાવે.
પેશન્ટને મળશે રાહત
ઇરડાએ કહ્યું કે હોસ્પિટલમાં પેશન્ટને ડિસ્ચાર્જ કરવામાં વાર થાય છે તેના લીધે અન્ય પેશન્ટને બેડ નથી મળતો અને તેઓ પરેશાન થાય છે. વિમા કંપનીઓ બિલ ક્લિયર કરવામાં વાર કરે છે. માટે મજબૂરીમાં હોસ્પિટલ તે દર્દીને 8-10 કલાક અંદર રાખે છે. આ ઓર્ડર થયા બાદ લોકોને જલ્દી બેડ મળે તે જોવામાં આવશે.
આ પહેલા ઇરડાઇએ કહ્યું હતુ કે 2 કલાકની અંદર કેશલેશ ક્લેમ ક્લિયર થવો જોઇએ પરંતુ હવે નિયમ બદલાઇ ગયો અને 30 થી 60 મિનીટની અંદર બધા બિલ ક્લિયર થવા જોઇએ.