ભારતીય નૌકાદળનું વિમાનવાહક જહાજ વિસર્જન માટે અલંગ આવી પહોંચ્યુ છે. જોકે આ જહાજ ભાંગી નાખવા માટે ખરીદનારા અલંગના શ્રીરામ ગ્રુપે હવે જહાજ વેચવા માટે સોદાબાજી શરૂ કરી દીધી છે. 38.5 કરોડમાં જહાજને ખરીદ્યા બાદ હવે શ્રીરામ ગ્રુપે જહાજને 100 કરોડમાં વેચવા માટે તૈયારી દર્શાવી છે
INS વિરાટની બારોબાર સોદાબાજી
શ્રીરામ ગ્રુપે 38.5 કરોડમાં ખરીદ્યું હતું
હવે 100 કરોડમાં વેચવાની તૈયારી
ભારતની આન બાન અને શાન શમુ યુદ્ધ જહાજ INS વિરાટ હાલ વિવાદમાં ફસાયું છે, તારીખ 28 સપ્ટેમ્બરે અલંગ ખાતે આગમન સાથે થેંક્યું વિરાટ નામે કાર્યક્રમનું આયોજન થયું હતું, ભારતીય નૌકાદળનું વિમાન વાહક જહાજ વિસર્જન માટે અલંગ આવી પહોંચ્યુ છે. જોકે આ જહાજ ભાંગી નાખવા માટે ખરીદનારા અલંગના શ્રીરામ ગ્રુપે હવે જહાજ વેચવા માટે સોદાબાજી શરૂ કરી દીધી છે.
પહેલા મ્યુઝિમ નહોતું બનાવવું અને હવે મ્યુઝિમ બનાવવું છે
INS વિરાટ જહાજને રાષ્ટ્ર ગૌરવના નામે 38.54 કરોડમાં ખરીદ્યા પછી હવે આ ગ્રુપે તેને સો કરોડમાં વેચવા તૈયાર બતાવી છે. જોકે થેંક્યું વિરાતના કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ મંડવ્યા એ જાહેરમાં કહ્યું હતું કે આ જહાજ 70 વર્ષ જૂનું હોય એક્સપર્ટ ના અભિપ્રાય મુજબ તેને મ્યુઝિયમમાં ફેરવી શકાય નહીં અને જો ફેરવાય તો મોટો અકસ્માત થવાની સંભાવના છે, હવે આ જહાજને મ્યુઝિયમમાં ફેરવવા માટે મુંબઈના એક મોટા જૂથે માંગણી કરી છે અને ગોવા ના મુખ્ય પ્રધાને પણ આ જહાજને મ્યુઝિયમ બનાવવા માટે સહમતી દર્શાવી છે.
હું 100 કરોડમાં આપવા તૈયાર છું
હવે સવાલ એ ઉભો થાય છે કે જો મ્યુઝિયમ જ બનાવવાનું હોય તો આ જહાજને સસ્તામાં શા માટે વેચી દેવાયું અને હવે જેને વેચવામાં આવ્યું છે તે ગ્રુપ શા માટે તેને ઊંચા ભાવે વેચવા સહમત થયું એ પ્રશ્ન ઉપસ્થિત થયો છે, આ જહાજ શ્રીરામ ગ્રુપના મુકેશ પટેલે કહ્યુ હતુ કે આમ તો સવાસો કરોડ મૂલ્ય છે, પણ હું 100 કરોડમાં આપવા તૈયાર છું. જહાજ ખરીદીને સંગ્રહાલયમાં ફેરવવા માટે મુંબઈ સ્થિત કંપની એન્વીટેક મરિન તૈયાર થઈ છે.
હું રાષ્ટ્રભક્તિ માનું ને જહાજ આપી દેવા તૈયાર છું
ભાવનગર જહાજ ખરીદનાર મુકેશ પટેલ નું કહેવું છે કે જી કોઈ ઉદ્યોગ ગૃહ આ જહાજ ને મ્યુઝિયમ બનાવવા માંગે તો હું આ જહાજ 100 કરોડ મા આપી દેવા તૈયાર છું મેં 38.50 મા ખરીડયાબાદ મેં કસ્ટમ ડ્યુટી ,જી એસ ટી તેમજ જહાજ ખરીદવા માટે ની રકમ 3 માસ પહેલા ભરી છે તો તેનું વ્યાજ પણ આમાં ગણાવું જોઈએ મેં એમ પણ કહ્યું કે જો તમારે જોઉતું હોઈ તો ભારત સરકાર ની પરમીશન લઈ આવો તો હું રાષ્ટ્રભક્તિ માનું ને જહાજ આપી દેવા તૈયાર છું