જૂનાગઢની વંથલી નગરપાલિકામાં કોંગ્રેસના સભ્યો વચ્ચે કકળાટ શરૂ થયો છે. ત્યારે હવે કોંગ્રેસના સભ્યોનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.
નગરપાલિકાના પ્રમુખ સહિતના સભ્યોએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રજૂઆત કરી છે. પાલિકાના સભ્યોએ ઉપપ્રમુખ નિકુંજ હદવાણી સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. ઉપપ્રમુખ નિકુંજ હદવાણીની બદલી કરવાની સભ્યોએ માગ કરી છે.
નિકુંજ હડવાળીની બદલી ન કરવામા આવે તો બળવો કરવાની પણ સભ્યોએ ચીમકી ઉચ્ચારી છે. મહત્વનુ છે કે હાલમાં વંથલી નગરપાલિકામાં કોંગ્રેસના 20 સભ્યો અને 4 ભાજપના સભ્યો છે. ત્યારે હવે કોંગ્રેસમાં થઈ રહેલી કકળાટ વચ્ચે ભાજપને ફાયદો થાય તેવી શક્યતા છે.