કોરોના વાયરસ બાદ હવે વધુ એક જીવલેણ વાયરસના સમાચાર સામે આવ્યા છે. આ ખતરનાક વાયરસ મરઘીઓમાંથી ફેલાવતો હોય તેઓ દાવો કરવામાં આવ્યો છે.
કોરોના કરતાં પણ ગંભીર વાયરસ મચાવશે તબાહી
વાયરસના કારણે ગત વર્ષે 9 લાખ મરગી પામી હતી મૃત્યુ
ગત અઠવાડિયે ચીનમાં ઘણા લોકો થાય હતા સંક્રમિત
લાંબા સમયથી સમગ્ર વિશ્વ જીવલેણ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. 2019ના અંતમાં જન્મેલા આ વાયરસે ગયા વર્ષના માર્ચ મહિનાથી એક પ્રચંડ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. લાખો લોકોના જીવ ગુમાવ્યા પછી, હવે આ વાયરસ સામે રક્ષણ માટે ઘણી વેક્સિન બનાવવામાં આવી છે, પરંતુ તેમ છતાં આ વાયરસનો પ્રકોપ ઓછો થયો નથી. આ દરમિયાન દુનિયામાં આવા અજીબોગરીબ સમાચાર ફેલાવા લાગ્યા છે, જેના વિષે જાણીને તમે ચોંકી જશો. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે મરઘીમાંથી એક ખતરનાક વાયરસ ફેલાવા જઈ રહ્યો છે અને આ સમયે પોલ્ટ્રી ફાર્મમાં આઠ ખૂબ જ ખતરનાક વાયરસ વધી રહ્યા છે. એટલું જ નહીં, આ ખતરનાક વાયરસ વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો તે ફેલાશે તો તેના પરિણામો કોરોના મહામારી કરતાં પણ ખરાબ હશે.
વાયરસને રોકવા માટે ફેક્ટરીની 9 લાખ મરગીને મારવી પડી
તમને યાદ હશે કે ગત વર્ષે રશિયામાં લાખો મરગીઓ અચાનક મરવા લાગી હતી. આ મરઘીઓના શરીરમાં એવિયન ફ્લૂના લક્ષણો જોવા મળ્યા હતા. આ ફ્લૂ મનુષ્યમાં કોરોના કરતાં વધુ ઝડપથી ફેલાય છે. એવિયન ફ્લૂના આ સટ્રેનને H5N8 નામ આપવામાં આવ્યું હતું. જેના કારણે ફેક્ટરીનો એક સ્ટાફ સંક્રમિત થઈ ગયો હતો. ત્યારબાદ ફેક્ટરીના વધુ સાત કામદારો પણ પોઝીટીવ મળી આવ્યા હતા. તેઓમાં ખૂબ જ હળવા લક્ષણો દેખાય હતા, જે સારવાર પછી સાજા થઈ ગયા, પરંતુ વાયરસને રોકવા માટે ફેક્ટરીની 9 લાખ મરગીને મારવી પડી હતી. જો આ મરઘીઓ ત્યાંથી આગળ સપ્લાય કરવામાં આવી હોત તો વાયરસ વધુ ફેલાયો હોત.
વૈજ્ઞાનિકોએ બનાવવી જોઈએ વેક્સિન
રશિયામાં મરઘીઓની અંદર એવિયન ફ્લૂની આ ઘટના અંગે WHO ને જાણ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે WHO કોરોનાના કેસોમાં વ્યસ્ત હતી. આ દરમિયાન, રશિયન ફેડરેશનના મુખ્ય ઉપભોક્તા સલાહકાર એના પોપોવાએ જણાવ્યું હતું કે શક્ય તેટલી વહેલી તકે વિશ્વના વૈજ્ઞાનિકોએ H5N8 વાયરસના ઇન્જેક્શન બનાવવાનું શરૂ કરવું જોઈએ. જો આવું ન થાય તો આ વાયરસ મનુષ્યોમાં ફેલાઈ શકે છે. જો આવું થશે તો સ્થિતિ કોરોના કરતા પણ ગંભીર થઈ જશે. હાલમાં, એવિયન ફ્લૂના આઠ પ્રકારો શોધી કાળવામાં આવ્યા છે અને તે બધા મનુષ્યને મારી નાખવા સક્ષમ છે.
ગત અઠવાડિયે ચીનમાં ઘણા લોકો થાય હતા સંક્રમિત
તાજેતરમાં, ચીનના 48 લોકો H5N8થી સંક્રમિત થયા હતા, જેમની ખૂબ જ ગુપ્ત રીતે સારવાર કરવામાં આવી રહી છે. આમાંથી મોટાભાગના લોકો પોલ્ટ્રી ફાર્મમાં કામ કરતા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમાંથી અડધા લોકો મૃત્યુ પામ્યા છે.