સરકાર હવે રિયલ એસ્ટેટ ક્ષેત્રને પ્રોત્સાહન આપી શકે છે. નાણા મંત્રી નિર્મલા સિતારમણે મંગળવારે આ પ્રકારના સંકેત આપ્યાં છે. નિર્મલા સિતારમણે કહ્યું કે સરકાર અને ભારતીય રીઝર્વ બેન્ક (RBI) આ ક્ષેત્રમાં પડી રહેલી મુશ્કેલીઓના નિવારણની દિશામાં કામ કરી રહી છે.
સરકાર-RBI રિયલ્ટી સેકટરની મુશ્કેલીઓને દૂર કરવાનો કરી રહ્યાં છે પ્રયાસ
08 પ્રમુખ ક્ષેત્રોને સીધું પ્રભાવિત કરે છે રિયલ એસ્ટેટ ક્ષેત્ર
રાહત પેકેજથી હજી પણ વંચિત રહ્યું છે રિયલ એસ્ટેટ
નાણા મંત્રી નિર્મલા સિતારમણે માન્યુ હતું કે પૂર્વમાં જાહેર કરાયેલા રાહત પેકેજથી રિયલ એસ્ટેટ ક્ષેત્ર હજી સુધી વંચિત રહ્યું છે. નાણા મંત્રીએ કહ્યું કે આ ક્ષેત્રની અસર આઠ પ્રમુખ ક્ષેત્ર (કોર સેકટર) સહિત અનેક ક્ષેત્રો પર પડે છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના એક કાર્યક્રમ દરમિયામ નિર્મલા સિતારમણે કહ્યું કે સરકારની આ ક્ષેત્ર પર નજર છે અને દરેક પ્રકારની મદદ કરવા માટે RBI ની સાથે કામ કરવામાં આવી રહ્યું છે. હાલ નિયમોમાં એવો ફેરફાર કરવામાં આવી શકે છે જેને લઇને રિયલ્ટી સેકટરમાં જોડાયેલા લોકોને મદદ મળશે.
ઉલ્લેખનીય છે કે જુલાઇ મહિનામાં રજૂ કરવામાં આવેલા બેજટ બાદ શેર બજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને માર્કેટની ધારણા નકારાત્મક બનેલી છે. જેને લઇને સરકારે ટેક્સને લઇને પોતાના નિર્ણય પરત લેવા પડ્યા હતા અને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની જાહેરાત કરવી પડી હતી.
નાણામંત્રી નિર્મલા સિતારમણે માન્યું કે હજુ સુધી કરવામાં આવેલા ઉપાયોથી રિયલ એસ્ટેટની ધારણા સુધારવામાં મદદ મળી નથી. સિતારમણે કહ્યું કે હજુ સુધી રિયલ એસ્ટેટના ક્ષેત્રને લઇને ઘણુ બધુ કામ કરવાનું બાકી છે. એક વિશેષ ક્ષેત્ર માટે કાંઇ કરાયું નથી, પરંતુ તેની શેર બજારમાં ખાસ સકારાત્મક અસર પડી શકે છે, જે રિયલ એસ્ટેટ ક્ષેત્ર છે.
ઉલ્લેખનીય છે કે નવેમ્બર, 2016માં નોટબંધી, મે, 2017માં રેરાની રજૂઆત અને પછી જુલાઇ, 2017માં GST લાગુ થવાતી રિયલ્ટી ક્ષેત્રને સૌથી મોટો ઝટકો લાગ્યો હતો.