UPIથી ઓનલાઈન થતાં ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જવાની માથાકૂટમાંથી છૂટકારો મળી શકે તેમ છે. જે દિશામાં NPCI કામ કરી રહી છે.
ઓનલાઈન ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જશે તો ઝડપથી ઉકેલ આવશે
NPCIએ UPI દ્વારા ટ્રાન્ઝેક્શન નિષ્ફળતાની સમસ્યાને હલ કરી
રિયલ ટાઈમ પેમેન્ટ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સિસ્ટમ પર NPCI કરી રહી છે કામ
UPIથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય તો તરત જ ઉકેલ આપવામાં આવશે કારણ કે NPCI એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એક ખાસ સિસ્ટમ પર કામ કરી રહી છે. દેશમાં UPI પેમેન્ટ સિસ્ટમ આવ્યા બાદ દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનના ક્ષેત્રમાં અભૂતપૂર્વ ક્રાંતિ આવી છે. આજે નાના દુકાનદારોથી લઈને મોટી ઈ-કોમર્સ કંપનીઓ આ નેટવર્ક સાથે સંકળાયેલી છે. દેશભરમાં કરોડો લોકો આ નેટવર્ક દ્વારા અબજો ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે. UPI એ ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવામાં મોટી ભૂમિકા ભજવી છે.
90 ટકા સુધી નિષ્ફળ જતા વ્યવહારો 30 સેકન્ડમાં સુધારી લેવાશે
જો કે, UPI દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે કેટલીકવાર વ્યવહારો નિષ્ફળ જાય છે. આવી સ્થિતિમાં આપણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યારે આવું થાય છે, ત્યારે ખાતામાંથી પૈસા પણ ડેબિટ થાય છે. તે જ સમયે, જેમને પૈસા મોકલીએ છીએ તેમના ખાતામાં પૈસા પણ જમા થતા નથી. આવી સ્થિતિમાં, ખાતામાં પૈસા પાછા આવવામાં લગભગ 3 થી 5 દિવસનો સમય લાગે છે. જો કે હવે આ સમસ્યાનું નિવારણ માત્ર 30 સેકન્ડમાં હલ થઈ શકે છે. કારણ કે NPCI એ UPI દ્વારા ટ્રાન્ઝેક્શન નિષ્ફળતાની સમસ્યાને હલ કરી છે. NPCI રિયલ ટાઈમ પેમેન્ટ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સિસ્ટમ પર કામ કરી રહી છે. આ સિસ્ટમ આવતા સપ્ટેમ્બરમાં શરૂ થઈ શકે છે. આ સિસ્ટમની રજૂઆત પછી, 90 ટકા સુધી નિષ્ફળ જતા વ્યવહારો 30 સેકન્ડમાં સુધારી લેવામાં આવશે.
ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જવાની સમસ્યા ઓછી થશે
NPCIએ UPI દ્વારા ટ્રાન્ઝેક્શન નિષ્ફળતાની સમસ્યાને હલ કરી રિયલ ટાઈમ પેમેન્ટ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સિસ્ટમ પર NPCI કામ કરી રહી છે. જે વી સિસ્ટમ સપ્ટેમ્બર મહિનાથી લાગુ થઈ શકે છે. જેને પગલે 90 ટકા સુધી નિષ્ફળ જતા વ્યવહારો 30 સેકન્ડમાં સુધારી લેવામાં આવશે. મહત્વનું છે કે આ સિસ્ટમને પગલે વારંવાર ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જવાની સમસ્યા ઘણી ઓછી થઈ જશે અને ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જવાના કિસ્સામાં તાત્કાલિક ઉકેલ પણ મળી શકશે.