ઈન્સ્યોરન્સ પોલીસી ખરીદનારા ગ્રાહકોને હવે ન તો કેવાઈસી માટે ક્યાંય જવાની જરુર છે અને ન તો કોઈ એજન્ટને મળવાની જરુર છે. હકિકતમાં ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ લાઈફ ઈન્શ્યોરન્સ અને જનરલ ઈંશ્યોરન્સ કંપનીઓએ પોતાના સંભવિત ગ્રાહકોની વીડિયો આધારીત કેવાઈસી કરવાની મંજૂરી આપી દીધી છે.
IRDAIના આ નિર્ણયથી વીમા કંપનીઓના અધિકારી કોરોનાકાળામાં ગ્રાહકોની કેવાઈસીની જરુરીયાતને ઓનલાઈન પુરી કરી શકે છે. IRDAIએ સોમવારે કહ્યું કે વીડિયો આધારિત પ્રક્રિયાનો હેતુ વિભિન્ન ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી કેવાઈસીની પ્રક્રિયાને સરળ અને ગ્રાહકોને અનુકુળ બનાવવાનો છે. નિયામકે કહ્યું કે વીમા કંપનીઓ એપ વિકસાવી કેવાયસીની પ્રક્રિયા ઓનલાઈન અથવા વીડિયોના માધ્યમથી કરી શકે છે.
આ રીતે ખોલવામાં આવેલા તમામ અકાઉન્ટ અથવા અન્ય સેવાઓ વીમા કંપનીઓએ કમ્પલીટ વેરિફિકેશન બાદ શરુ કરવાની રહેશે. આનાથી વિશ્વસનીયતા બની રહેશે. તેમજ કંપનીઓ નક્કી કરેના નિયમો પ્રમાણ સોફ્ટવેયર અને સિક્યોરિટી ઓડિટ પણ કરી શકશે. વીબીઆઈપી એપ શરુ કરતા પહેલા તેની સંપૂર્ણ તપાસ કરવાની રહેશે. ગ્રાહકોના વેરિફિકેશનની સંપૂર્ણ જવાબદારી વીમા કંપનીની રહેશે.