ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને 3 ટેસ્ટ મેચની સીરિઝમાં 3-0થી હરાવ્યુ. આ સીરિઝમાં પહેલા ટેસ્ટ મેચમાં એક મજેદાર વાત થઇ. પરત ફરી રહેલી ટીમ ઇન્ડિયાના પેસર મોહમ્મદ શમીને અપગ્રેડ કરીને બિઝનેસ ક્લાકમાં મોકલવામાં આવ્યો. આ સુવિધા મોટાભાગના ખેલાડીઓ પાસે ન હતી.
જોકે આ પહેલા ઇશાંત શર્માને આ સુવિધા મળી હતી, આ એક અપગ્રેડેશન પ્રક્રિયાનો ભાગ છે. જોકે ગેમમાં સારા પરફૉર્મ કરનારાને બિઝનેસ ક્લાસમાં ટ્રાવેલ કરાવવામાં આવે છે.
સૂત્રોનુસાર, આખી ટીમને બિઝનેસ ક્લાસની સીટ્ મળી નથી શકતી. આ સીટ સીમિત હોય છે, આ માટે મેનેજમેન્ટ તરફથી સારા પરફૉર્મ કરવાવાળાને બિઝનેસ ક્લાકમાં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ ટેસ્ટ સીરિઝમાં શમીને બિઝનેસ ક્લાસ સીટ મળી, આ પહેલા ઇશાંત શર્માને આ સુવિધા મળી હતી.''
સામાન્ય રીતે ફાસ્ટ બૉલર્સ ફિલ્ડ પર સૌથી વધારે એનર્જી લગાવવી પડે છે, જેના કારણે તેમણે વધારે આરામદાયક ટ્રાવેલ કરવાની તક મળવી જોઇએ. ખાસ કરીને તેમણે મેચમાં શાનદાર રીતે પરફૉર્મ કર્યુ તો પાક્કુ, તેમણે બિઝનેસ ક્લાસમાં મળતા એક્સ્ટ્રા લેગ રૂમની મજા મળી જશે.
ટીમ ઇન્ડિયાના મેનેજમેન્ટે વધુ એક નિર્ણય કર્યો છે, હવે ટીમના વાઇસ કેપ્ટનને સુઇટ મળશે. ટીમમાં નવા મેનેજર ગિરીશ ડોંગરે પોતાનું સુઇટ છોડવાનો નિર્ણય કર્યો. આ પછી મેનેજમેન્ટમાં તે સુઇટ વાઇસ કેપ્ટનને આપવાનો નક્કી કરવામાં આવ્યો. હાલની વ્યવસ્થામાં કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન કોહલીને જ સુઇટ મળે છે.
સાઉથ આફ્રિકા વિરુદ્ઘ પહેલા કરવામા આવેલા નિર્ણય અનુસાર, ત્રીજો સૂઇટ મેન ઑફ ધ મેચને મળે છે. પરંતુ હવે કેપ્ટન અંજ્કિય રહાણે તેનો લાભ ઉઠાવશે. જ્યારે વનડે અને T-20 માં રોહિત શર્માને આ સુવિધા મળશે.