વૈજ્ઞાનિકોને મુંબઈની સૌથી મોટી સ્લમ વસ્તી ધારાવી સિવાય વડાલા, શિવાજી નગર, કુરલા, કંજૂર અને મલાડની ઝૂંપડપટ્ટીઓની ગટરમાં કોરોના વાયરસ મળ્યો છે.
મુંબઈમાં કોરોનાનો કહેર વધ્યો
ધારાવી સહિત 6 ઝૂંપડપટ્ટીની ગટરમાં મળ્યો કોરોના
ધારાવી,વડાલા, શિવાજી નગર, કુરલા, કંજૂર અને મલાડની ઝૂંપડપટ્ટીઓ સામેલ
કોરોના વાયરસના સંક્રમણે ફરી એકવાર વૈજ્ઞાનિકોની ચિંતામાં વધારો કર્યો છે. વૈજ્ઞાનિકોને હૈદરાબાદ બાદ હવે મુંબઈની સૌથી મોટી સ્લમ વસ્તી ધારાવી સહિત 6 ઝૂંપડપટ્ટીઓમાં ગટરમાં કોરોના વાયરસની માહિતિ મળી છે. ધારાવી સિવાય વડાલા, શિવાજી નગર, કુરલા, કંજૂર અને મલાડની ઝૂંપડપટ્ટીઓની ગટરમાં કોરોના વાયરસ મળ્યા છે.
વૈજ્ઞાનિકોએ કરી હતી ગટરની તપાસ
નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીના વૈજ્ઞાનિકોએ પોલિયો મોડલના આધારે મુંબઈની 6 અલગ અલગ વસ્તીઓની ગટરની તપાસ કરી. આ સમયે તેઓને તપાસમાં કોરોના વાયરસની હાજરીનો ખ્યાલ આવ્યો. તેઓએ કહ્યું કે 2001માં પોલિયો સંક્રમણ સમયે પણ વૈજ્ઞાનિકોએ આ રીતે વાયરસ પર નજર રાખવા તપાસ કરી હતી.
ગટરના પાણીની 3 લેયરમાં કરાય છે તપાસઃ વૈજ્ઞાનિકો
વૈજ્ઞાનિકોના આધારે ગટરના પાણીની તપાસ 3 લેયરમાં કરાય છે. ઉપરના અને નીચેના લેયરમાં કોરોના મળ્યો નથી જ્યારે વચ્ચેના લેયરમાં કોરોના હોવાની જાણકારી મળી છે. મુંબઈ પહેલાં હૈદરાબાદમાં પણ સીસીએમબીના વૈજ્ઞાનિકોએ પણ ગટરમાં કોરોના વાયરસ હોવાની પુષ્ટિ કરી હતી.
ગટર સુધી કેવી રીતે પહોંચ્યો કોરોના વાયરસ
વૈજ્ઞાનિકોને શોધમાં જાણવા મળ્યું છે કે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીના મળથી વાયરસ ગટર સુધી પહોંચ્યો છે. આ સિવાય સંક્રમિતના નહાતી સમયે યૂઝ થતાં સાબુ, શેમ્પૂ અને તેમના કપડાં ધોતી સમયે ઉપયોગમાં લેવાતા પાવડરથી પણ વાયરસ ગટર સુધી પહોંચે છે.