દેશ- વિદેશમાં કહેર વર્તાવી રહેલો કોરોના વધુ ખાતક થઈ શકે છે. કેમ કે તેણે માનવ શરીરમાં પ્રવેશવાનો એક નવો રસ્તો શોધી લીધો છે, વૈજ્ઞાનિકોને પોતાની શોધમાં જાણવા મળ્યું કે કોરોના હવે એક પ્રોટીનની મદદથી શરીમાં પ્રવેશ કરી રહ્યો છે. આ ખાસ પ્રોટીન તેને રસ્તો આપે છે આ શોધ સાયન્સ જર્નલમાં પ્રકાશિત થઈ છે.
વાયરસ માણસોના શરીરની અંદર પ્રવેશીને તેની સંખ્યા વધારે છે
વાયરસ આ પ્રોટીનને સંક્રમિત કરવાની ક્ષમતા રાખે
ન્યૂરોપિલિન- 1 પ્રોટીનથી કોરોના વાયરસના શરીરમાં ઘૂસવાને લઈને શોધ કરી
શોધમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે કોરોના વાયરસના બહારના ભાગમાં તીક્ષણ અથવા સ્પાઈક રુપે હોય છે. જેની બહારની સપાટી પ્રોટીન હોય છે જે માનવ શરીરમાં હાજર કોશિકાઓના પ્રોટીન એસીઈ 2 સાથે જોડાયેલી છે. આ અંતર્ગત કોરોના વાયરસ માણસોના શરીરની અંદર પ્રવેશીને તેની સંખ્યા વધારે છે. ધીરે ધીરે આ જીવલેણ વાયરસ આખા શરીર પર પોતાનો કબ્જો કરી લે છે.
વૈજ્ઞાનિકોએ આ સંબંધમાં 2 શોધ કરી છે. વૈજ્ઞાનિકોએ આ દરમિયાન માનવ કોશિકાઓમાં હાજર ન્યૂરોપિલિન 1 , નામના પ્રોટીનની શોધ કરી છે. આ પ્રોટીન પણ શરીરમાં કોરોના વાયરસને રિસેપ્ટરની જેમ કામ કરે છે. આ શોધમાં ઈંગ્લેન્ડના બ્રિસ્ટલ યુનિવર્સિટીના શોધકર્તાઓએ ન્યૂરોપિલિન- 1 પ્રોટીનથી કોરોના વાયરસના શરીરમાં ઘૂસવાને લઈને શોધ કરી છે.
શોધમાં જાણવા મળ્યું છે કે કોશિકાઓમાં હાજર ન્યૂરોપિલિન -1 પ્રોટીનના અંશ વાયરસ પર હાજર હતા. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે એવું ત્યારે શક્ય છે કે જ્યારે વાયરસ આ પ્રોટીનને સંક્રમિત કરવાની ક્ષમતા રાખે છે. ત્યારે જર્મની અને ફિનલેન્ડના વૈજ્ઞાનિકોએ પણ એક સમાન મત રજુ કર્યો છે કે શરીરમાં વાયરસના પ્રવેશવાનો બીજો રસ્તો ન્યૂરોપિલિન -1 પ્રોટીન પ્રોટીનના રુપે હાજર છે.