દેશના ઘણા રાજ્યોમાં મે મહિનાના અંત સુધીમાં લોકડાઉન રાખવામાં આવ્યું છે, એવું લાગી રહ્યું છે કે આવ રાજ્યોમાં હવે ધીમે ધીમે અનલોક પણ થશે
બીજા રાજ્યની જેમ મહારાષ્ટ્રમાં પણ સંક્રમણનો આંકડો આવ્યો નીચે
કોરોનાનું સંક્રમણ અટકે તે માટે વધુ એક નિર્ણય
સંક્રમણ ઘટ્યું પણ પણ બ્લેક ફંગસના કેસો વધ્યા
બીજા રાજ્યની જેમ મહારાષ્ટ્રમાં પણ સંક્રમણનો આંકડો આવ્યો નીચે
મહારાષ્ટ્રમાં હવે ધીમે ધીમે લોકડાઉન ખતમ થશે કે પછી લોકડાઉન વધશે તે માટે બુધવારે CM ઉદ્ધવ ઠાકરે નિર્ણય લેશે પણ આ બધા પહેલા એક નવો નિયમ મહારાષ્ટ્ર સરકારે લીધો છે, મહામારીથી બચવા માટે તેમણે લીધેલા પગલાંને લીધે સંક્રમણના કેસો ઘટી રહ્યા છે પણ સંક્રમણ હજી ઓછું કરી શકાય તે માટે તેમણે એક નવો નિયમ કોરોના દર્દીઓ માટે બહાર પાડયો છે.
કોરોનાનું સંક્રમણ અટકે તે માટે વધુ એક નિર્ણય
આ મોટા નિર્ણય અનુસાર, હવે મહારાષ્ટ્રમાં કોઈ પણ કોરોના દર્દીઓ પોતાના ઘરમાં આઇસોલેટ નહીં રહે, કોરોના પોઝિટિવ આવતા તેમણે કોવિડ સેન્ટરમાં સારવાર લેવી પડશે. કહેવાઈ રહ્યું છે એક દેશમાં હવે કોરોનાની બીજી લહેર પતવા આવી છે. છેલ્લા ઘણા દિવસથી સંક્રમણના આંકડામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે 40 દિવસ પછી હવે 2 લાખથી ઓછા કેસો સામે આવ્યા છે. પણ ચિંતાની વાત એ છે કે બ્લેક ફંગસના કેસો પણ હવે સતત વધી રહ્યા છે.
બ્લેક ફંગસ થવા પાછળ AIIMS ના ડોક્ટરે પણ જણાવ્યા આ પાછળના કારણ
ડૉ. પોલે વધુમાં આ વિશે કહ્યું કે જે લોકોનું શુગર લેવલ 700 થી 800 સુધી પહોંચી જાય છે તેવા લોકોને પણ બ્લેક ફંગસ થવાનો ખતરો વધુ છે. બાળકોથી લઈ વૃધ્ધો પણ આ રોગના શિકાર બની શકે છે. સાથે જ AIIMSના ડોકટર નિખિલ ટંડનનું કહેવું છે કે સ્વસ્થ લોકોએ આ વિશે ચિંતા કરવાની જરૂર નથી. જે લોકોની ઇમ્યુનિટી ઓછી હોય છે માત્ર તેમણે થવાનું જોખમ વધુ છે. ટંડનનું કહેવું છે કે એવું પણ બની શકે કે કોરોનાની બીજી લહેરે પહેલી લહેરના પ્રમાણમાં ઇમ્યુનિટી પર વધુ હુમલો કરતો છે. જેમાં કારણે બ્લેક ફંગસના કેસો વધી રહ્યા છે. તેમણે કહ્યું કે કોરોનાની બીજી લહેરમાં પહેલી લહેર કરતાં વધુ લોકો સંક્રમિત થયા છે. આ જ કારણ છે કે બ્લેક ફંગસના કેસો રોજે રોજ વધી રહ્યા છે. સાથે જ બીજી લહેરમાં સ્ટેરોઇડનો ઉપયોગ પણ વધુ પ્રમાણમાં થયો છે.