કોરોના વાયરસથી રિકવરીના ત્રણ મહિના બાદ જ લાગશે વેક્સિનનો ડોઝ : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આપી મંજૂરી
નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન (NEGVAC) આ નિયમ પર આપી હતી સલાહ
કોરોનાની બીજી લહેરમાં રી-ઇન્ફેકશન થવાની સંભાવના વધી ગઈ છે
પહેલા 6 મહિના પછી વેક્સિન લઈ શકાશે તે નિયમમાં કર્યા ફેરફાર
નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન (NEGVAC) આ નિયમ પર આપી હતી સલાહ
NEGVAC તરફથી કોરોના વેક્સિન લગાડવા માટે આપવામાં આવેલ સલાહ પર સ્વાસ્થ્ય મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. NEGVAC તરફથી આપવામાં આવેલી સલાહમાં કહેવામાં આવ્યું હતું કે કોરોનાથી સાજા થયા બાદ દર્દી 3 મહિના પછી વેક્સિન લઈ શકે છે, હવે આ સલાહને સ્વાસ્થ્ય મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. વેક્સિન લેવાના નિયમોમાં સતત ફેરફાર થઈ રહ્યા છે, પણ જો તમને કે તમારા કોઈ નજીકના વ્યક્તિને કોરોના થયો હોય તો તેવા કેસમાં કેટલા સમય પછી વેક્સિન લેવી જોઈએ? કોરોના વાયરસથી લડવા માટે દેશ પાસે હવે માત્ર વેક્સિન રૂપી હથિયાર બચ્યું છે, અને તેના સંદર્ભમાં ઘણા બધા નિયમો સતત બદલાઈ રહ્યા છે. પણ જો કોઈ વ્યક્તિને કોરોના વાયરસ થાય તો સાજા થયા બાદ કેટલા દિવસ પછી વેક્સિન લેવી જોઈએ તે માટેના નિયમ હવે લાગુ પાડવામાં આવી શકે છે. નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન (NEGVAC) આ નિયમ પર નિર્ણય લઈ લીધો છે. આ ટીમ કહી રહી છે કે કોરોનાથી સાજા થયા બાદ 6 મહિના પછી વેક્સિન લેવાનો નિયમ છે પણ હવે આ નિયમ બદલીને 3 મહિના પછીનો કર્યો છે.
New Recommendations of National Expert Group on Vaccine Administration for COVID19 (NEGVAC) have been accepted & communicated to States/UTs. As per new recommendations, COVID19 vaccination to be deferred by 3 months after recovery from illness: Union Health Ministry pic.twitter.com/EIm9jPjpOB
કોરોનાની બીજી લહેરમાં રી-ઇન્ફેકશન થવાની સંભાવના વધી ગઈ છે
આ ટીમે ઘણા રિસર્ચ અને તથ્યો જાણ્યા બાદ આ સલાહ આપી છે. ભારતમાં કોરોનાની પહેલી લહેર દરમ્યાન રી- ઇન્ફેકશનનો દર 4.5 ટકા હતો, અને આ દરમ્યાન 120 દિવસનું અંતર જોવા મળ્યું હતું. પણ બીજા દેશોનું રિસર્ચ કહે છે કે કોરોના થયા બાદ 6 મહિના સુધી ઇમ્યુનિટી રહે છે, એટલે એ સમય બરોબર છે. પણ હવે જ્યારે કોરોનાની બીજી લહેર ચાલી રહી છે તેવામાં રી- ઇન્ફેકશન થવાની સંભાવના વધી ગઈ છે. એવામાં જો પહેલો અને બીજો ડોઝ લેવામાં અંતર રાખીએ તો તે ફાયદાકારક છે.
પહેલા 6 મહિના પછી વેક્સિન લઈ શકાશે તે નિયમમાં કર્યા ફેરફાર
હમણાં જ રસીકરણના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત હવે પહેલો ડોઝ લીધા પછી 12 થી 16 અઠવાડિયા પછી બીજો ડોઝ લેવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો. કોવિન પોર્ટલ પર બીજા ડોઝ માટે પહેલા ડોઝ લીધાના 84 દિવસ પછીનો સમય બતાવે છે. જ્યારે કોરોનામાંથી સાજા થયેલ લોકો માટે પહેલા 6 મહિના પછી રસી લેવાનો નિયમ હતો પણ હવે જે બદલીને 3 મહિનાનો કરવામાં આવ્યો.અને ગર્ભવતી મહિલાઓ ડિલવરી બાદ વેક્સિન લઈ શકે છે.