Medicine Changed Rules News: PM મોદીએ કહ્યું, દેશભરમાં સૌથી મોંઘી દવાઓ પણ સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ થવી જોઈએ એ અમારી સરકારની પ્રાથમિકતાઓમાંની એક
કેન્દ્ર સરકાર દ્વારા દવાઓની કિંમતને લઈ સામાન્યને માણસને મોટી રાહત
હવે દેશના ગામડે-ગામડે સસ્તી દવાઓ મળશે
ગૃહમંત્રી શાહના એલાન બાદ સામે આવ્યું PM મોદીનું નિવેદન
કેન્દ્ર સરકાર દ્વારા દવાઓની કિંમતને લઈ સામાન્યને માણસને મોટી રાહત આપવામાં આવી છે. વાત જાણે એમ છે કે, હવે દેશના ગામડે-ગામડે સસ્તી દવાઓ મળશે. મહત્વનું છે કે, દવાઓની કિંમત દેશના દરેક વર્ગને અસર કરે છે. કારણ કે કોઈપણ બીમાર થઈ શકે છે. સરકારના અભિયાન હેઠળ તમને મોંઘી દવાઓ ખરીદવાથી છુટકારો મળશે. સરકારે જાહેરાત કરી છે કે, દેશભરમાં 2000 જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવશે. જેના પર 90 ટકા સુધી સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સરકારના જણાવ્યા અનુસાર, દેશની તમામ સરકારી સમિતિઓમાં આ દવા કેન્દ્રો ખોલવામાં આવશે. જેથી જરૂરિયાતમંદ અને ખેડૂતો ત્યાંથી દવાઓ ખરીદી શકે અને તેમના સ્વાસ્થ્યની કાળજી લઈ શકે. સહકાર મંત્રી અમિત શાહ અને રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયા વચ્ચે યોજાયેલી બેઠકમાં દેશભરમાં 2000 પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો ખોલવા પર સહમતિ બની છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર ઓગસ્ટ સુધીમાં જ 1000 કેન્દ્રો ખોલવામાં આવ્યા હશે.
2000 પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવશે
વર્ષના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બર સુધીમાં તમામ 2000 પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવશે. જેથી લોકોને મોંઘી દવાઓ ખરીદવાથી છુટકારો મળી શકે. ખરેખર ઘણી વખત ગરીબ લોકો પાસે મોંઘી દવાઓ ખરીદવાના પૈસા પણ નથી હોતા. જેના કારણે તેમની સારવાર શક્ય નથી. આવા લોકોને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.
सहकारिता क्षेत्र से संबंधित आज एक बड़ा निर्णय लिया गया, जिससे अब PACS प्रधानमंत्री भारतीय जन औषधि केंद्र भी खोल पायेंगे। इससे PACS से जुड़े लोगों की आय बढ़ेगी और ग्रामीण क्षेत्रों में रहने वाले लोगों को कम कीमत पर दवाइयाँ मिल पायेंगी।
શું કહ્યું ગૃહમંત્રી અમિત શાહે ?
અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે, આજે સહકારી ક્ષેત્રને લગતો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે હવે PACS પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર ખોલી શકશે. આનાથી PACS સાથે જોડાયેલા લોકોની આવકમાં વધારો થશે અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો ઓછી કિંમતે દવાઓ મેળવી શકશે. સહકારી ક્ષેત્રને સશક્ત બનાવીને મોદી સરકાર તેની સાથે સંકળાયેલા કરોડો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહી છે.
देशभर में महंगी से महंगी दवाएं भी कम से कम कीमत पर उपलब्ध हों, यह हमारी सरकार की प्राथमिकताओं में से एक है। मुझे पूर्ण विश्वास है कि सहकारिता क्षेत्र में हुई इस बड़ी पहल से ग्रामीण इलाकों में रहने वाले लोगों का जीवन और आसान होगा। https://t.co/psOk4Q5kle
શું કહ્યું PM મોદીએ ?
આ તરફ અમિત શાહના ટ્વિટને રિટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશભરમાં સૌથી મોંઘી દવાઓ પણ સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ થવી જોઈએ એ અમારી સરકારની પ્રાથમિકતાઓમાંની એક છે. મને પૂરો વિશ્વાસ છે કે, સહકારી ક્ષેત્રની આ મોટી પહેલ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોનું જીવન સરળ બનાવશે.
તમામ દવાઓ પોષણક્ષમ ભાવે ઉપલબ્ધ થશે: સહકાર મંત્રાલય
સહકાર મંત્રાલયે કહ્યું, આ મહત્વપૂર્ણ નિર્ણયથી માત્ર પેક્સ સોસાયટીઓની આવક અને રોજગારીની તકો વધશે નહીં, પરંતુ દવાઓ પણ લોકોને પોસાય તેવા ભાવે ઉપલબ્ધ થશે. 9,400 જન ઔષધિ કેન્દ્રો પહેલેથી જ અસ્તિત્વમાં છે. જેના પર 90% સુધી સસ્તી દવાઓ ઉપલબ્ધ છે. માહિતી અનુસાર, આ કેન્દ્રો પર દર્દીઓને વિવિધ રોગોમાં વપરાતી લગભગ 1800 પ્રકારની દવાઓ ઉપલબ્ધ થશે.
આ લોકોને મંજૂરી આપવામાં આવશે
મંત્રાલય તરફથી મળેલી માહિતી અનુસાર પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે અરજદાર પાસે ઓછામાં ઓછી 120 ચોરસ ફૂટ જગ્યા હોવી જરૂરી છે. ભારતીય નાગરિક રૂ.5000ની અરજી ફી ભરીને તેના નગર કે શહેરમાં અરજી કરી શકે છે. આ પછી સરકારી ટીમ તમારી દુકાનનું નિરીક્ષણ કરશે. જો બધું યોગ્ય જણાય તો ઉમેદવારોને દવા કેન્દ્ર ખોલવાનું લાયસન્સ મળશે. તે ધ્યાનમાં રાખવું જોઈએ કે જેઓ કેન્દ્ર ખોલે છે તેમની પાસે ફાર્માસિસ્ટમાં ડિપ્લોમા અથવા ડિગ્રી હોવી આવશ્યક છે.