RTPCR સર્ટીફિકેટ બતાવવામાંથી આપો છૂટછાટ
પ્રવાસન મંત્રાલયે કહ્યું કે, કોરોના વેક્સિનના બે ડોઝ લઈ ચૂકેલા યાત્રાળુઓને કોવિડનો આરટીપીસીઆર સર્ટિફિકેટ બતાવવામાંથી છૂટછાટ આપવી જોઈએ. એવુ મનાઈ રહ્યું છે કે, ટૂંક સમયમાં આંતરરાજ્યમાંથી મુસાફરી કરનારા યાત્રાળુઓને આરટીપીસીઆર સર્ટીફિકેટ બતાવવામાંથી છૂટછાટ મળી શકે છે.
અમુક રાજ્યોમાં સર્ટીફિકેટ બતાવવુ જરૂરી
ખરેખર, હજી કેટલાંક રાજ્યોમાં વેક્સિનના બંને ડોઝ લઈ ચૂકેલા પ્રવાસીઓ માટે આરટીપીસીઆર સર્ટીફિકેટ બતાવવુ જરૂરી બન્યુ છે. પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ગોવા, છત્તીસગઢ આ રાજ્યો તેમાં સામેલ છે. જ્યારે અમુક રાજ્યોમાં વેક્સિનના બંને ડોઝ લેનારા લોકોને RTPCR નેગેટીવ સર્ટીફિકેટ વગર બહાર જવાની મંજૂરી છે.
ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ
મહત્વનું છે કે, ભારતમાં કોરોના સંક્રમણની તોળાઈ રહેલી ત્રીજી લહેરનો કહેર હવે સમાપ્ત થયો છે. અત્યાર સુધી ત્રણ કરોડ 20 લાખથી વધુ લોકો મહામારીથી સંક્રમિત થઇ ગયા છે. જેમાંથી 4 લાખ 29 હજારથી વધારે લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. જોકે, ત્રણ કરોડ 12 લાખ લોકો મહામારીથી મુક્ત પણ થયા છે. તો હજી આશરે 4 લાખ એક્ટિવ કેસ છે. એટલેકે આ લોકો હજી પણ સંક્રમિત છે. જેઓ હજુ સારવાર હેઠળ છે.
રસીકરણની સ્થિતિ
જો રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધી 52 કરોડથી વધુ લોકો કોવિડ-19 વેક્સિનની રસી લઈ ચુક્યા છે. કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ 40 કરોડ લોકોએ લીધો છે. જ્યારે 11 કરોડ લોકોએ બીજો ડોઝ લીધો છે. આ રીતે પ્રથમ ડોઝમાં રસી લેનારા લોકોમાં 30 ટકાનો સમાવેશ થાય છે તથા બીજા ડોઝમાં 8.51 ટકા લોકોનો સમાવેશ થાય છે.
રસીકરણ અભિયાન ક્યારે થયો પ્રારંભ?
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રવ્યાપી અભિયાન હેઠળ 16 જાન્યુઆરીથી સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે રસીકરણ અભિયાન શરૂ કરાયું હતું. બે ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઈન કર્મચારીઓને મંજૂરી આપવામાં આવી હતી. 1 માર્ચથી રસીકરણના પ્રથમ તબક્કામાં 60 વર્ષથી વધુ અને ગંભીર બિમારીવાળા 45 વર્ષથી વધુની ઉંમરના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો.