બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ મંગળવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા બંગાળના અર્થતંત્રની સ્થિતિ પર કોમેન્ટ કરતાં ફેકટચેક કર્યું હતું અને કહ્યું હતું કે તેઓ ખોટા સાબિત થયા હોવાથી ગૃહમંત્રીએ તેમને ઢોકળાની ટ્રીટ આપવી જોઈએ.
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યના આંકડા રજૂ કર્યા
ભાજપને પૂછ્યો પ્રશ્ન,"11 વર્ષ પહેલા બંગાળ જોયું હતું ?"
બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી એ મંગળવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા બંગાળના અર્થતંત્રની આલોચના કર્યાના મુદ્દે તેમના પર નિશાન સાધ્યું હતું અને તેમણે કહ્યું હતું કે હવે ગૃહમંત્રીએ મને ઢોકળાની પાર્ટી આપવી જોઈએ. મમતા બેનર્જીએ ભાજપ અને બંગાળમાં BJP ના મુખ્ય રણનીતિકાર મનાતા અમિત શાહ સામે પ્રહાર કરવાનું ચાલુ રાખ્યું છે તેમણે તેમના શાસનમાં બંગાળમાં વિકાસના આંકડાઓ રજૂ કરીને કહ્યું કે બંગાળમાં ઉદ્યોગો અને ક્રાઇમને લઈને તેમના દાવા ખોટા પુરવાર થયા છે.
બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું," ગૃહમંત્રીએ મને હવે ટ્રીટ આપવી જોઈએ. મને ઢોકળા અને અન્ય ગુજરાતી વાનગીઓ ગમે છે.
મહત્વનું છે કે ગૃહમંત્રી અમિત શાહ હાલમાં બે દિવસીય બંગાળ પ્રવાસ પર હતા અને તે દરમિયાન તેમણે એક રેલીને પણ સંબોધન કર્યું હતું જેમાં મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર નેતાઓ ભાજપ માં જોડાયા હતા. તે પછી અમિત શાહે કહ્યું કે 'દીદી'ની આંખો સામે બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અને વિકાસ રૂંધાઈ ગયો છે.
મમતા બેનર્જી એ તે આરોપોને ફગાવી દીધા હતા
મુખ્યમંત્રીએ કહ્યું, 'અમિત શાહ જાણી જોઈને પશ્ચિમ બંગાળની નિરાશાજનક તસવીર રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લાં 10 વર્ષ દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસ ના શાસન દરમિયાન, બંગાળમાં રાજકીય હત્યાઓ ઓછી થઈ છે. તમામ વિકાસ સૂચકાંકો પર પશ્ચિમ બંગાળ અન્ય રાજ્યો કરતા આગળ છે.'
વધુમાં મમતા બેનર્જી એ કહ્યું, 'તેઓએ બંગાળને એક દુ:સ્વપ્ન જમીનની જેમ બનાવી દીધું. તેણે બંગાળને એક એવા રાજ્ય તરીકે જોયું જે ખૂબ જ ખરાબ રીતે કામ કરી રહ્યું છે, અવિકસિત છે અને અહીં નોકરી નથી ... તમે 11 વર્ષ પહેલાં બંગાળ જોયું હતું? તમે કેવી રીતે સરખામણી કરી શકો છો? મને સત્ય સામે વાંધો નથી, પણ જો ટીકામાં સત્ય ન હોય તો હું તેને પડકાર આપીશ.'