એન્ટીબોડી ઘટે એટલે કોરોના થાય તેવું પણ નથી જેમને માઇલ્ડ ઇન્ફેક્શન થયું હતું તેમની એન્ટીબોડી ઘણા લાંબા સમય સુધી રહે છે વેક્સિન લીધી છે તેમનામાં એન્ટીબોડીનું પ્રમાણ થોડું ઓછું દેખાઇ રહ્યું છે IMAના ડોક્ટરનો દાવો
IMAના ડો.મુકેશ મહેશ્વરીનો દાવો
શરૂઆતમાં વેક્સિન લીધી એની એન્ટીબોડી ઘટી
શું વોરિયર્સને બુસ્ટર ડોઝની જરૂર પડશે?
કોરાના મહામારી સામે લડવા માટે વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે હજારો લાખો લોકો વેક્સિન લઈ રહ્યા છે ત્યારે વેક્સિનને લઈ ઈન્ડિય મેડિલ એસોસિએશનના ડૉક્ટર મહેશ્વરીએ ચૌકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે પ્રારંભમાં વેક્સિન લેનારાની એન્ટી બોડી ઘટી રહી છે, તેમના કહ્યા પ્રમાણે એક સર્વેમાં બહાર આવ્યું છે કે જે લોકોએ પ્રારંભમાં વેક્સિન લીધી છે તેમને એન્ટીહોડી ઘટી રહી હોવાનું તારણમાં સામે આવ્યું છે.
શરૂઆતમાં વેક્સિન લીધી એની એન્ટીબોડી ઘટી
ડૉ.મુકેશ મહેશ્વરીએ દાવા કરતા એમ પણ જણાવ્યું કે વિવિધ હોસ્પિટલ મેડિકલ સ્ટાફના લોહીનું પરીક્ષણ કરાયું હતું જેમાં એવું તારણ સામે આવ્યું કે વેક્સિન કરતા કોરોના સંક્રમણથી મળતી એન્ટીબોડી લાંબી ટકી શકે છે એટલું જ નહીં કોરોના વોરિયર્સમાં એન્ટી બોડી ઘટે તો બુસ્ટર ડોઝની શક્યાતાઓ વધી શકે છે એવું ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ડો.મહેશ્વરીએ દાવો કરતા જણાવ્યું છે.
શું વોરિયર્સને બુસ્ટર ડોઝની જરૂર પડશે?
વેક્સિનેશનને લઇ IMAના ડો.મુકેશ મહેશ્વરીએ મહત્વનો દાવો કરતા જણાવ્યું છે કે શરૂઆતમં વેક્સિન લીધી તેમની એન્ટીબોડી ઘટી રહી છે. શરૂઆતમાં 3થી 4 મહિના એન્ટીબોડી સારી હોય છે અને 3 થી 4 મહિના બાદ એન્ટીબોડી ઘટી રહી છે.
જો કે એન્ટીબોડી ઘટે એટલે કોરોના થાય તેવું પણ નથી. ડો. મુકેશ મહેશ્વરીએ કહ્યું કે જેમને માઇલ્ડ ઇન્ફેક્શન થયું હતું તેમની એન્ટીબોડી ઘણા લાંબા સમય સુધી રહે છે અને વેક્સિન લીધી છે તેમનામાં એન્ટીબોડીનું પ્રમાણ થોડું ઓછું દેખાઇ રહ્યું છે.