બિલ્ડીંગ યુઝ પરમિશન વગરની અને ફાયર એન.ઓ.સી. વગરની હોસ્પિટલો તેમજ શૈક્ષણિક સંસ્થાઓ સામે કોર્ટે કડકાઈ દાખવ્યા બાદ ભાવનગર કોર્પોરેશન દ્વારા પણ સીલ માટે નોટીસો આપવાનું શરૂ કર્યું છે. જે બાદ મનપાએ કાર્યવાહી કરતા શહેરમાં 14 ખાનગી હોસ્પિટલોને B.U પરમિશન મામલે નોટિસ પાઠવી દીધી છે.
ખાનગી હોસ્પિટલો સામે કોર્પોરેશનની કાર્યવાહી
આ મામલે 5 દિવસમાં યોગ્ય કારણ રજૂ નહીં કરી શકે તેવી હોસ્પિટલોને સીલ કરવાની કામગીરી પણ કરવામાં આવશે. મહત્વનું છે કે ભાવનગરમાં 150 મોટા હોસ્પિટલ તથા 250 નાના હોસ્પિટલ મળી કુલ 400 જેટલા હોસ્પિટલો આવેલા છે.ત્યારે સુપ્રિમ કોર્ટની ફટકાર બાદ ભાવનગર મનપા પણ હરકતમાં આવી ગઈ છે.
14 ખાનગી હોસ્પિટલોને મનપાએ ફટકારી નોટીસ
ઉલ્લેખનિય છે કે કોરોના કાળમાં હોસ્પિટલોને કેટલાક રાહત આપવામાં આવી હતી પરતું હવે કોરોના સંક્રમણ ઓછુ થઈ રહ્યું છે ત્યારે મનપાએ બીયુ પરમિશન વગરની હોસ્પિટલો સામે કડડ કાર્યવાહી હાથ ધરી છે. બે દિવસ પહેલા પણ બી.યુ. પરમિશન વગરની 8 હોસ્પિટલને પાંચ દિવસમાં સીલ મારવાની નોટીસ આપ્યા બાદ વધુ 6 હોસ્પિટલને નોટીસ ફટકારી હતી ત્યારે આજે વધુ 14 હોસ્પિટલોને નોટીસ આપવામાં આવી છે. એટલું જ નહીં સાથો સાથ ફાયર એન.ઓ.સી. માટે પણ કાર્યવાહી કરતા 3 હોસ્પિટલને સીલ મારવા નોટીસ પાઠવી હતી.
બીયુ પરમિશન વગરની હોસ્પિટલો સામે કાર્યવાહી
મહત્વનું છે કે બી.યુ. પરમીશનના હોય તેવી હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓ સામે કાર્યવાહી કરવા સુપ્રીમ કોર્ટે જ્યારે ફાયર એન.ઓ.સી. માટે હાઇકોર્ટે સરકારને કડકાઈ સાથે કાર્યવાહી કરવાના આદેશ બાદ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.