રાજકોટ મનપાના ટી.પી.વિભાગે ખોડિયારનગર-ગોંડલ રોડના 81 જેટલા મકાનોને તોડવા માટે નોટિસ આપી, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો
રાજકોટ મનપામાં મોટી સંખ્યામાં સ્થાનિકો પહોચ્યા
ટી.પી વિભાગે 81 મકાનો તોડવા નોટિસ આપતા રોષ
ખોડિયારનગર-ગોંડલ રોડના રહેવાસીઓ કચેરીએ ખડકાયા
રાજકોટમાં તંત્રની કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની વાત કરીએ તો, રાજકોટ મનપાના ટી.પી.વિભાગે ખોડિયારનગર-ગોંડલ રોડના 80 જેટલા મકાનોને તોડવા માટે નોટિસ આપી છે. જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને મોટી સંખ્યામાં ખોડિયારનગર અને ગોંડલ રોડના રહેવાસીઓએ રાજકોટ મનપાની કચેરીએ જઈને ભારે હોબાળો મચાવ્યો હતો. બાદમાં મનપાના અધિકારીઓની સમજાવટ બાદ માંડ માંડ મામલો થાળે પડ્યો હતો.
લોકોએ કહ્યું કે, પહેલા અને પછીની ટીપીમાં ફરક છે. એક વર્ષ અગાઉ ટીપીને લઈ નોટિસ અમને આપી હતી. જે નોટિસનો અમે જવાબ પણ આપ્યો હતો. હવેની ટીપીમાં ફાજલ જગ્યા છોડી કાઢવામાં આવી છે. અહીં 120 જેટલા પરિવાર જીવન પસાર કરી રહ્યા છે. અમને કોઈ સમય પણ આપવામાં આવ્યો નથી. આ કારણે અમે તંત્ર પાસે અન્ય જગ્યા વૈકલ્પિક રીતે માગી છે. પણ કોઈ જવાબ મળ્યો નથી.
ઉમિયા ચોક પાસે મહિલાઓનો વિરોધ
રાજકોટના ઉમિયા ચોક પાસે મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ઉમિયા ચોક પાસે રસ્તાઓ ખોદી નાંખ્યા બાદ સમારકામ નથી કરાયું. છેલ્લા બે વર્ષથી રસ્તા યથાસ્તિતિમાં જ છે. જેના કારણે વરિષ્ઠ નાગરિકોમાં પણ રોષ છે.