ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસ.પી.સ્વામીને તડીપારની નોટિસ આપી છે. એક સાથે એસ.પી સ્વામીને 6 જિલ્લામાંથી તડીપારની નોટીસ આપવામાં આવી છે. એસ.પી સ્વામીને બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને અમદાવાદ આ 6 જિલ્લામાંથી તડીપારની નોટિસ જાહેર કરાઈ છે. જો કે, નાયબ કલેક્ટરે એસ.પી સ્વામી પાસે જવાબ પણ માગ્યો છે કે, 6 જિલ્લામાંથી તડીપાર કેમ ન કરવા જોઈએ.
જાહેરનામાના ભંગ મુદ્દે તડીપારની નોટીસ
બોટાદ નાયબ કલેક્ટર દ્વારા એસ.પી સ્વામીને અપાયેલી નોટીસનું કારણ લોકડાઉન સમયે જાહેરનામાનો ભંગ અને વર્ષ 2007માં રોડ વિવાદનું પણ કારણ દર્શાવવામાં આવ્યું છે.
એસ.પી સ્વામીના તડીપાર મુદ્દે નૌતમ સ્વામીનો કટાક્ષ
એસ.પી સ્વામીના તડીપાર મુદ્દે નૌતમ સ્વામીએ કટાક્ષ સાથે નિવેદન આપ્યું છે. સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામીએ કહ્યું કે, એસ.પી.સ્વામીએ હવે સત્સંગ, ભજન કરવાની જરૂર છે. એસ.પી.સ્વામીના ગુનાહિત ઇતિહાસ પર નૌતમ સ્વામીએ કટાક્ષ કર્યો છે. એસ.પી.સ્વામીએ અનેક ગુનાઓ કર્યા હોવાની વાત નૌતમ સ્વામીએ કહી છે. સાધુને તડીપાર કરવાની ઘટના લગભગ પહેલી હશે. ચૂંટણી હાર્યા બાદ એસ.પી.સ્વામીને વિનમ્ર થવાની જરૂર હતી.