બિહારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં ઈનકમ ટેક્સ વિભાગે 500 રૂપિયા દાડી કમાતા શ્રમિકને 37.5 લાખની નોટિસ ફટકારી છે.
બિહારથી સામે આવી અનોખી ઘટના
શ્રમિકને ઈનકમ ટેક્સ વિભાગે મોકલી લાખોની નોટિસ
જાણો શું છે સમગ્ર મામલો
બિહારમાં દૈનિક મજૂરી કરીને પૈસા કમાતા ગિરીશ યાદવને ત્યારે ચોંકી ઉઢ્યા જ્યારે આવકવેરા વિભાગે તેને 37.5 લાખની ભારે ભરખમ નોટિસ આપી. આશ્ચર્યની વાત એ છે કે બિહારના ખગડિયા જિલ્લાના મઘૌના ગામમાં રહેતા ગિરીશ યાદવ દરરોજ મજૂરી કરીને 500 રૂપિયા કમાય છે.
કેસ નોંધી તપાસ કરવામાં આવી શરૂ
અલૌલી પોલીસ સ્ટેશનના એસએચઓ પુરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, ગિરીશ દ્વારા શેર કરવામાં આવેલી માહિતીના આધારે અમે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આ છેતરપિંડીનો મામલો હોવાનું જણાય છે."
દિલ્હીમાં કામ કરે છે ગિરીશ
એસએચઓએ કહ્યું કે ફરિયાદીને તેના નામે જારી કરાયેલા પાન નંબર વિરુદ્ધ નોટિસ મળી છે. રિપોર્ટ અનુસાર, SHOએ કહ્યું, "ગિરીશનું કહેવું છે કે તે દિલ્હીમાં કામ કરે છે. જ્યાં તેણે એકવાર બ્રોકર દ્વારા પાન કાર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ તેણે ફરી ક્યારેય બ્રોકર સાથે મુલાકાત કરી નથી."
રાજસ્થાનની કંપનીનો છે ઉલ્લેખ
આ સિવાય ITની નોટિસમાં ગિરીશ રાજસ્થાન સ્થિત કંપની સાથે સંકળાયેલો હોવાનું જણાવવામાં આવ્યું છે. એસએચઓએ કહ્યું કે, પરંતુ તે ભારપૂર્વક કહી રહ્યો છે કે તેણે ક્યારેય તે રાજ્યની મુલાકાત લીધી નથી. હવે જોવાનું એ રહેશે કે આ મામલામાં પોલીસ અને ઈન્કમટેક્સ વિભાગ શું કાર્યવાહી કરે છે