રહેઠાણમાં શૌચાલય નહિ હોય તો ઉમેદવારી નહીં કરી શકાય
2થી વધુ બાળકો હશે તો ઉમેદવારી નહીં કરી શકાય
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત બાદ રાજ્ય ચૂંટણી પંચે વધુ એક જાહેરનામું રજૂ કર્યું છે. ઉમેદવારની વ્યવસ્થા અને કૌટુંબિક જીવનની માહિતી આધારે ઉમેદવારી નોંધાવવી પડશે. જે ઉમેદવારના રહેઠાણમાં શૌચાલય નહીં હોય તો ફોર્મ સ્વીકાર કરાશે નહીં. આ સાથે જે ઉમેદવારને 2થી વધુ બાળકો હશે. તે પણ ઉમેદવારી માટે યોગ્ય ગણાશે નહીં. સાથે જાહેરનામાને અવગણીને પણ જે ઉમેદવારી નોંધાશે. તેમને ગેરલાય ઠેરવવામાં આવશે.
રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત, કચ્છની પાંચ સહિત 80 નગરપાલિકા અને 6 મહાનગરપાલિકાનો ચૂંટણી કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. છ મહાનગરપાલિકાઓની ચૂંટણી 21 ફેબ્રુઆરી તેમજ નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતોની ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીએ સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી થશે. જેના માટે 6990 ઇવીએમનો ઉપયોગ કરવામાં આવશે.