CSIR ના ડાયરેક્ટર જનરલ ડો.શેખર સી માંડેએ કહ્યું કે, કોરોના વાયરસની ત્રીજી લહેર આવશે તે નિશ્ચિત છે, પરંતુ તે ક્યારે આવશે અને લક્ષણો શું હશે તેની આગાહી કરી શકાતી નથી.
CSIR ના ડાયરેક્ટર જનરલ ડો.શેખર સી માંડેનો દાવો
કોરોના વાયરસની ત્રીજી લહેર આવશે તે નિશ્ચિત છે
ક્યારે આવશે અને લક્ષણોની આગાહી ન થઈ શકે
વૈજ્ઞાનિક અને ઓદ્યોગિક સંશોધન પરિષદના વડાએ કહ્યું કે રસીકરણ અને માસ્ક પહેરવાથી ચોક્કસપણે ત્રીજી તરંગની તીવ્રતા ઘટાડવામાં મદદ મળશે. માંડેએ કહ્યું કે તેઓ કેરળમાં કોરોનાના વધતા આંકડાઓનું વિશ્લેષણ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે વાયરસના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પ્લસ વધારે ચિંતાનો વિષય નથી.
ડેલ્ટા કે ડેલ્ટ પ્લસ કયો વેરિયન્ટ સૌથી વધારે ઘાતક છે
ડોક્ટર માંડેએ જણાવ્યું કે કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ સૌથી ઘાતક છે પરંતુ ડેલ્ટા પ્લસ અંગે કોઈ ચિંતા કરવાની જરુર નથી. બ્રિટન, યુરોપ, અને અમેરિકાએ આગળની લહેર જોઈએ છે. આપણે એક ઉદાર દ્રષ્ટિકોણ અપનાવો પડશે. ત્રીજી લહેર આવવાની સંભાવના છે પ રંતુ ક્યારે અને કેવી રીતે આવશે તે કહેવું મુશ્કેલ છે. વાયરસના નવા મ્યુટેંટ અથવા કોવિડ-19 ના પ્રોટોકોલનું પાલન કરવામાં ઢીલને કારણે આવું થઈ શકે છે.
શું કોરોના વેક્સિન કામ કરી રહી છે
તેમણે કહ્યું કે લોકો પર કોરોના વેક્સિન એકદમ સારી રીતે કામ કરી રહી છે તેને માટેના વૈજ્ઞાનિક પુરાવા પણ મોજૂદ છે. હાલમાં વેક્સિન જ ત્રીજી લહેર માટે એકમાત્ર હથિયાર છે. બધા લોકોએ જલદીથી વેક્સિન લેવી જોઈએ. જેથી કરીને ત્રીજી લહેરનો સામનો કરવામાં સરળતા રહે. કોરોનાની જીનોમિક દેખરેખ આગામી 3 વર્ષ સુધી ચાલુ રહેશે.
ICMRના એક્સપર્ટોનું કહેવું છે કે દરેક રાજ્યોએ ત્રીજી લહેરને લઈને કડક પગલા લેવા જોઈએ. ICMRના મહામારી વિજ્ઞાન પ્રમુખ સમીરન પાંડે એ કહ્યું કે પુરા દેશમાં ત્રીજી લહેરનું સંક્રમણ નહી ફેલાય કારણે બીજી લહેર વખતે મોટા ભાગના રાજ્યોમાં સંક્રમણ ભયંકર રીચતે ફેલાયું હતું, પરંતુ સરકાર દ્વારા ત્રીજી લહેરનું સંક્રમણ રોકવા અત્યારથી પહલા લેવા જોઈએ.
મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં વધારે સંક્રમણ હતું
સમીરન પાંડાએ કહ્યું કે મહારાષ્ટ્ર સહિત ઘણા એવા રાજ્યો છે જ્યા બીજી લહેરમાં સૌથી વધારે સંક્રમણ ફેલાયું હતું. જેથી આવા રાજ્યોમાં અત્યારથી ત્રીજી લહેરને લઈને તૈયારીઓ રાખવી જરૂરી છે. જેથી સંક્રમણ ફેલાતું અટકાવી શકાય.