આવતીકાલે સુપ્રીમ કોર્ટ નોટબંધીને પડકારતી 57 અરજીઓ પર સુનાવણી કરવા જઈ રહી છે.
આવતીકાલે નોટબંધી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
નોટબંધીને પડકારતી 57 અરજીઓ પર થશે સુનાવણી
2016માં પીએમ મોદીએ 500 અને 1000ની જુની નોટ બંધ કરી દીધી હતી
2016ની સાલમાં પીએમ મોદી દ્વારા કરવામાં આવેલી નોટબંધીને પડકારતી ટોટલ 57 અરજીઓ પર આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરુ થઈ રહી છે. નોટબંધીની પીએમ મોદીની જાહેરાત બાદ તે વિવેક નારાયણ શર્માએ નોટબંધીના સરકારના નિર્ણયને પડકાર્યો હતો અને તેમની પછી બીજી 57 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે હવે આવતીકાલે આ તમામ અરજીઓ એકીસાથે સાંભળશે.
Supreme Court constitution bench will hear tomorrow pleas challenging the Centre's decision to demonetize currency notes of Rs 500 & Rs 1000. Five Judge bench headed by Justice Abdul Nazeer will hear the matter tomorrow
બંધારણીય ખંડપીઠ સાંભળશે નોટબંધી સામેની અરજીઓ
સુપ્રીમ કોર્ટે મોટા કેસની સુનાવણી માટે બંધારણીય ખંડપીઠની રચના કરી છે. આ બંધારણીય ખંડપીઠ સામે સૌથી પહેલા કેસ નોટબંધી પર સુનાવણી કરવાનો છે. ચીફ જસ્ટિસ યુયુ લલિતે બીજી બંધારણીય બેન્ચની રચના કરી છે. તેનું નેતૃત્વ ન્યાયાધીશ એસ અબ્દુલ નઝીર કરશે. બેંચના અન્ય ન્યાયાધીશોમાં જસ્ટિસ બી.આર.ગવઈ, એ.એસ.બોપન્ના, વી રામા સુબ્રમણ્યમ અને બી.વી.નાગરથનાનો સમાવેશ થાય છે. આ બંધારણીય બેંચ સમક્ષ પાંચ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ વિચારણા કરવામાં આવશે.
8 નવેમ્બર 2016ના રોજ પીએમ મોદીએ નોટબંધીની કરી હતી જાહેરાત
8 નવેમ્બર 2016ના રોજ રાત્રે 8 વાગ્યે સમગ્ર દેશને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી જે પછી 500 અને 2000ની નવી નોટ બહાર પાડવામાં આવી હતી.