NOTA પરિણામ બદલી શકે છે; 2017માં NOTAમાં પડ્યા હતા 5.50 લાખ મત, પોરબંદરમાં કોંગ્રેસનો ખેલ બગાડ્યો હતો
NOTA પરિણામ બદલી શકે!
2017માં NOTAમાં પડ્યા હતા 5.50 લાખ મત
પોરબંદરમાં NOTAએ કોંગ્રેસનો ખેલ બગાડ્યો હતો
"None of the above" એટલે કે નોટાએ હાલ રાજકીય પાર્ટીના શ્વાસ અધ્ધર કરી નાંખ્યા છે. ઉમેદવારો હાલ નોટામાં કેટલા મત પડશે તેની ગડમથલ કરી રહ્યા છે. ભૂતકાળમાં નોટાએ ભલભલી રાજકીય પાર્ટીના ઉમેદવારોના ખેલ બગાડ્યા છે. 2017ની ચૂંટણીમાં નોટા કેમ મહત્વનું રહ્યુ હતુ. નોટાને કારણે ઘણાં ઉમેદવારો બોર્ડર લાઈનથી જીત્યા હતા અને ઘણાં હાર્યા હતા. નોટા કેવી રીતે ઉમેદવારોના ખેલ બગાડે અને બનાવે છે. તેની વાત ઉદાહરણ દ્વારા સમજીએ.
NOTAએ કોંગ્રેસનો ખેલ બગાડ્યો
2017માં પોરબંદરમાં સૌથી વધુ વોટ બાબુ બોખરીયાને મળ્યા હતા. જ્યારે બીજા ક્રમાંકે કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાને મત મળ્યા. જ્યારે ત્રીજા ક્રમાંક પર નોટા રહ્યું હતુ. 2017માં બાબુ બોખરીયા જીત્યા અને અર્જુન મોઢવાડિયાની હાર થઈ. બંનેની હાર-જીત વચ્ચે માત્ર 1855 મતનો ફરક હતો. જ્યારે નોટામાં 3433 લોકોના વોટ પડ્યા હતા. જો નોટાના વોટ કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને મળ્યા હોત તો જીતી ગયા હોત.
2017માં NOTAની ભૂમિકા ?
આ વાત પોરબંદરની બેઠકની હતી. પરંતુ ગુજરાતની 182 બેઠકો પર નોટાએ ઉમેદવારોને પોતાનું મહત્વ સમજાવ્યુ હતું. 2017માં નોટાએ કેટલા વોટ મળ્યા હતા તેની વાત કરીએ તો 2017માં નોટાને ત્રીજા ક્રમાંકે સૌથી વધુ વોટ મળ્યા તેમજ 5.50 લાખ લોકોએ NOTAને પસંદ કર્યું હતું. 29 બેઠકો પર નોટાએ હાર-જીત નક્કી કરી હતી.
NOTAએ હાર-જીત નક્કી કરી
નોટામાં પડેલા 5.50 લાખ વોટ માત્ર શહેરી વિસ્તારમાં પડ્યા હોય તેવુ પણ નથી, ગ્રામ્ય વિસ્તાર અને આદિવાસી વિસ્તારના લોકોને પણ ઉમેદવાર પસંદ ન પડ્યા અને નોટામાં વોટ નાંખ્યો. 2017ની ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો સાથે સરકાર બનાવી પણ એવી 7 બેઠકો હતી. જે નોટાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. 7 બેઠકોમાં હાર-જીત વચ્ચે રસાકસી રહી હતી તેમજ હાર-જીત વચ્ચેના મતોનું અંતર ખૂબ ઓછુ રહ્યું હતુ જેમાં 2થી 6 હજાર વોટ વચ્ચે હાર-જીત નક્કી થઈ હતી તેમજ આ બેઠકો પર 2થી 4 હજાર વોટ નોટામાં પડ્યા હતાં.
આ ચૂંટણીમાં નોટા કોને ફળશે?
આ ચૂંટણીમાં લોકોમાં મતદાનને લઈને દેખાઈ રહેલી નિરસતા અને જનસભાઓ થતા પ્રચારમાં દેખાઈ રહેલી ઓછી ભીડને કારણે રાજકીય પક્ષો અને ઉમેદવારોમાં ચિંતામાં છે. જો લોકોની નિરસતા નોટામાં પરિણમશે તો જોવા જેવી થશે અને ઉમેદવારો વચ્ચે હાર-જીત અને નોટામાં પડેલા વોટનું અંતર ખૂબ ઓછુ હશે. હવે આ ચૂંટણીમાં નોટા કોને ફળશે અને કોને નુકસાન કરાવશે તે 8મી તારીખે જ ખબર પડશે.