બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / વિરાટ કોહલી-રોહિત શર્મા નહીં, શ્રીલંકા સામે T20 મેચમાં આ સ્ટાર પ્લેયર્સ કરશે ઓપનિંગ

ક્રિકેટ / વિરાટ કોહલી-રોહિત શર્મા નહીં, શ્રીલંકા સામે T20 મેચમાં આ સ્ટાર પ્લેયર્સ કરશે ઓપનિંગ

Last Updated: 04:55 PM, 24 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર 3 T20 અને 3 ODI મેચોની શ્રેણી રમશે.

India Playing 11 vs Sri Lanka 1st T20: ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર 3 T20 અને 3 ODI મેચોની શ્રેણી રમશે. સૌથી પહેલા ટી-20 સિરીઝ હશે, જેની પ્રથમ મેચ 27 જુલાઈએ રમાશે. ટી-20 સિરીઝની તમામ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી પલ્લેકેલમાં રમાશે. વિરાટ કોહલી અને રોહિત શર્માની ગેરહાજરીમાં પ્લેઇંગ 11ની પસંદગી સુકાની સૂર્યકુમાર યાદવ માટે માથાનો દુખાવો બની શકે છે.

ભારતીય ટીમ હાલમાં શ્રીલંકા પ્રવાસ પર છે. બંને ટીમો વચ્ચે 3 T20 મેચોની સીરીઝ અને પછી માત્ર 3 ODI મેચો રમવાની છે. ભારતીય ટીમ આ પ્રવાસ 27 જુલાઈથી શરૂ કરશે. પહેલા ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાશે. આ તમામ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી પલ્લેકેલમાં રમાશે.

Suryakumar-Yadav

BCCIએ સૂર્યકુમાર યાદવને T20 ટીમની કપ્તાની સોંપી દીધી છે. જ્યારે આ પ્રથમ મેચ સાથે ગૌતમ ગંભીર પણ કોચિંગમાં ડેબ્યૂ કરશે. મુખ્ય કોચ તરીકે ગંભીરનો આ પ્રથમ પ્રવાસ અને પ્રથમ શ્રેણી છે.

ગિલ અને યશસ્વી ટી-20માં ઓપનિંગ કરશે

રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમે જૂનમાં જ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. આ પછી રોહિત, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. જ્યારે T20 વર્લ્ડ કપ 2024માં માત્ર રોહિત અને કોહલીએ ઓપનિંગ કર્યું હતું.

હવે સવાલ એ છે કે કોહલી અને રોહિત બાદ ટી-20માં કોણ ઓપનિંગ કરશે? આનો જવાબ છે વાઇસ કેપ્ટન શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ. આ બંનેએ ઝિમ્બાબ્વે પ્રવાસની છેલ્લી 3 મેચમાં પણ ઓપનિંગ કર્યું હતું. હવે શ્રીલંકા પ્રવાસ દરમિયાન પણ ગિલ અને યશસ્વી ઓપનિંગ મોર્ચો સંભાળવાના છે.

hardik-pandya

બોલિંગમાં કોમ્બિનેશન

આ પછી વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનું નંબર 3 પર આવવું લગભગ નિશ્ચિત છે. ત્યારબાદ કેપ્ટન સૂર્યા પોતે નંબર-4 પર મોર્ચો સંભાળશે. આ પછી હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ અને શિવમ દુબે અનુક્રમે 5, 6 અને 7માં નંબર પર આવી શકે છે. સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલિંગ અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ હશે. ત્રીજો ઝડપી બોલર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા રહેશે.

જ્યારે સ્પિનર ​​તરીકે ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈ પોતાની પ્રતિભા બતાવી શકે છે. બિશ્નોઈના સ્થાને વોશિંગ્ટન સુંદરને પણ તક મળી શકે છે. જો પલ્લેકેલની પિચ સ્પિન ફ્રેન્ડલી હોય તો કેપ્ટન સૂર્યા પણ આ મેદાન પર અક્ષર અને બિશ્નોઈની સાથે ત્રીજા સ્પિનર ​​તરીકે વોશિંગ્ટનને મેદાનમાં ઉતારી શકે છે. આવા સમયે રિંકુસિંહ અથવા શિવમ દુબે બહાર થઈ શકે છે.

પ્રથમ T20 મેચમાં સંભવિત ભારતીય પ્લેઈંગ-11

શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ/વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ.

ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે સિરીઝ રમાશે

ટી20 સીરીઝ બાદ ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની વનડે સીરીઝ રમાશે. પ્રથમ વનડે મેચ 2જી ઓગસ્ટે રમાશે. આ શ્રેણીની તમામ ODI મેચો શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રમાશે. આ 50-50 ઓવરની વન-ડે મેચો ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યાથી રમાશે.

વધું વાંચોઃ 19માં માળેથી કૂદવાનો હતો આ ભારતીય દિગ્ગજ ક્રિકેટર, મિત્રએ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ, ફેન્સ ચોંકી ઉઠ્યાં

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય T20 ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઇ, અર્શદીપસિંહ, ખલીલ અહેમદ અને મોહમ્મદ સિરાજ.

ભારત-શ્રીલંકા મેચ શેડ્યુલ

27 જુલાઈ- 1લી T20, પલ્લેકેલ

28 જુલાઈ 28- બીજી T20, પલ્લેકેલ

30 જુલાઇ- ત્રીજી T20, પલ્લેકેલ

2 ઓગસ્ટ- 1લી ODI, કોલંબો

4 ઓગસ્ટ- બીજી ODI, કોલંબો

7 ઓગસ્ટ- ત્રીજી ODI, કોલંબો

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sports India Vs Srilanka suryakumar yadav news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ