આજે ભારતમાં ઓમિક્રૉનનાં કેસ 1700 ઉપર પહોંચી ગયા છે પણ બીજી તરફ ડોક્ટર્સ કહી રહ્યા છે કે ઓમિક્રૉનથી ડરવાની જરૂર નથી. જાણો કયા કયા કારણો છે એક્સપર્ટસનાં આ ઓપીનીયન પાછળ
ડેલ્ટા કરતાં ઓછો જોખમી છે ઓમિક્રૉન
કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોન વિશે રાહતના સમાચાર છે. નિષ્ણાતો કહી રહ્યા છે કે ઓમિક્રોન ડેલ્ટા કરતા પણ ઓછો જોખમી છે. એક્સપર્ટ્સના કહેવા અનુસાર ઓમિક્રોનથી ગભરાવાની જરૂર નથી. ડોક્ટરોએ જણાવ્યું હતું કે ઓમિક્રોનના અત્યાર સુધી જે કેસ મળ્યા છે તેમાંથી કોઈ પણ ગંભીર રીતે બીમાર નથી. જોકે ઓમિક્રોન જે ઝડપથી ફેલાય છે, તે થોડી ગંભીર બાબત જરૂર છે એવું ડોક્ટર્સ અને એક્સપર્ટસ દ્વારા કહેવમાં આવવી રહ્યું છે.
Omicron ના લક્ષણો ગંભીર નથી
આ પ્રકારના સંક્રામક રોગોના નિષ્ણાત અને ઓમિક્રોન પીડિતોની સારવાર કરનારા ડૉ. સયાન ચક્રવર્તીએ કહ્યું કે મેં અત્યાર સુધી જે જોયું છે તે દર્શાવે છે કે ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ઓછો જોખમી છે.
તેમણે જણાવ્યું હતું કે અમે બીજા વેવ દરમિયાન આનાથી ઘણા વધુ ગંભીર કેસ જોયા છે. ઓમિક્રોનના કિસ્સામાં, આ ઓછું થવાની સંભાવના છે. માત્ર હું જ નહીં, ઘણા વિદેશી રિપોર્ટ્સ પણ આ જ કહી રહ્યા છે કે ઓમિક્રોનના લક્ષણો સાપેક્ષમાં હળવા છે. અને તેમ માત્ર હળવો તાવ અને ઉધરસ આવે છે.
ડેલ્ટા કરતાં ઓછો જોખમી છે ઓમિક્રૉન
ક્રિટિકલ કેર એક્સપર્ટ અને ઘણા ઓમિક્રોન સંક્રમિત દર્દીઓની સારવાર કરનાર ડૉ. શાસ્વતી સિંહાએ કહ્યું કે મેં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 4 દર્દીઓની સારવાર કરી છે. તેમાંથી કોઈ ગંભીર રીતે બીમાર નહોતું. તેઓને માત્ર હળવા લક્ષણો હતા. વિદેશી અહેવાલો પણ એવું જ કહી રહ્યા છે. ઓમિક્રોનના લક્ષણો હળવા હોય છે, જો કે તેનો ફેલાવો ઝડપથી થાય છે. અમે જીવલેણ બીજી લહેર જોઈ છે. ઓમિક્રોનના કેટલાક કેસ જોયા પછી, મને લાગે છે કે વપહેલાંની જેમ આ વખતે એટલું ખરાબ નહીં થઈ જાય.
બીજી તરફ કોવિડ નિષ્ણાત ડૉ. જોગીરાજ રોયે કહ્યું કે ઓમિક્રોન એક હળવો વેરિયન્ટ છે. મોટાભાગના કેસ ડેલ્ટા વેરિઅન્ટમાંથી જ બહાર આવી રહ્યા છે. ડેલ્ટા વેરિઅન્ટથી ચેપગ્રસ્ત લોકોને જ ઓક્સિજનની જરૂર હોય છે. મને નથી લાગતું કે ઓમિક્રોનમાં ઓક્સિજનની મોટી ડિમાન્ડ ઊભી થશે કે આપવાની જરૂર પડશે. જો મોટાભાગના લોકોને ઓમિક્રોનથી સંક્રમણ લાગે છે, તો કમ્યુનિટિમાં ઇમ્યુનિટી આવશે. જેમણે રસી લીધી છે તેમનામાં મિક્સ્ડ ઇમ્યુનિટી ઊભી થશે. આનાથી સારું શું હોઈ શકે?
ઓમિક્રૉનનાં ભારતમાં 1700 કેસ
ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 1700 કેસ નોંધાયા છે. અને હજુ કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્ર અને દિલ્હી અત્યાર સુધી આ પ્રકારથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત 560 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 33,750 નવા કેસ નોંધાયા, 123 દર્દીઓનાં મોત થયા હતા.