કોરોનાના વાયરસને કારણે બીજી લહેરમાં કુલ 776 ડોક્ટર્સના મોત થયા છે
IMA ના અધ્યક્ષની કેન્દ્ર સરકારને સલાહ
બીજી લહેરમાં 776 ડોક્ટર્સના મોત
દેશમાં કુલ આટલા કેસો છે એક્ટિવ
IMA ના અધ્યક્ષની કેન્દ્ર સરકારને સલાહ
કોરોના વાયરસને લઈ ઇંડિયન મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડૉક્ટર જે એ જયલાલે કહ્યું ક છે કે હાલ કોઈ પણ તહેવાર ઉજવવો યોગ્ય નથી. કારણકે તે ઘણું ખતરનાક સાબિત થઈ શકે છે. સાથે જ તેમણે કહ્યું કે IMA સરકારને અનુરોધ કરી રહી છે કે કોઈ પણ પ્રકારના સામૂહિક સમારંભ કરવા વિશે પણ પોતાના નિર્ણય પર વિચાર કરે.
Holding any festival is not advisable as it can be dangerous. IMA requests the government to reconsider their decision regarding any kind of mass gatherings: Indian Medical Association President, Dr JA Jayalal to ANI
બીજી લહેરમાં 776 ડોક્ટર્સના મોત
કોરોનાના વાયરસને કારણે બીજી લહેરમાં કુલ 776 ડોક્ટર્સના મોત થયા છે. IMAના કહ્યા મુજબ આ દરમ્યાન સૌથી વધુ બિહારમાં 115, દિલ્હીમાં 109, ઉત્તર પ્રદેશમાં 79 અને પશ્ચિમ બંગાળમાં 62 ડોક્ટરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 16 જૂને જ્યારે આ આંકડો IMA દ્વારા કહેવામાં આવ્યો ત્યારે 730 હતો, ત્યારબાદ વધુ 46 ડોક્ટર્સ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા હતા.
એક નજર છેલ્લા પાંચ દિવસના આંકડા પર
કોરોનાની બીજી લહેરની અસર ધીરે ધીરે ઓછી થવા લાગી છે. કોરોના સંક્રમણના સતત કેસ 1 લાખથી ઓછા રહ્યા છે. ગત પાંચ દિવસમાં દેશમાં 84 હજાર 332 નવા કેસો સામે આવ્યા છે. જ્યારે 4002 દર્દીઓના જીવ ગયા છે. ખાસ વાત એ છે કે 20 દિવસમાં કોરોના સંક્રમણના સૌથી ઓછા કેસ આવ્યા છે. કોરોનાના નવા કેસો સામે આવ્યા બાદ દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 3 કરોડ 8 લાખ 37 હજાર 222 થઈ ગઈ છે.જ્યારે 66 દિવસ પછી ભારતના સક્રિય કેસનો આંકડો 5 લાખથી પણ નીચે આવ્યો છે. દેશમાં હવે રિકવરી રેટ 97.20 ટકા થઈ ગયો છે.
દેશમાં કુલ આટલા કેસો છે એક્ટિવ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 4 લાખ 50 હજાર 899 એક્ટિવ કેસ છે. જ્યારે 3 કરોડ 14 હજાર 713 લોકો સાજા થઈ પોતાના ઘરે જઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4 લાખ 8 હજાર 764 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં મોટી રાહત મળતી જોવા મળી રહી છે. 4 જૂનના દિવસે 1,32,364 નવા કેસ, 9 જૂનના દિવસે 92, 596 કેસો નવા આવ્યા, 14 જૂનના દિવસે 70, 421 નવા કેસો સામે આવ્યા.