અશ્વગંધા એક ઔષધીય પાક છે. તમામ ઔષધિઓમાં અશ્વગંધા સૌથી પ્રસિદ્ધ છે. અશ્વગંધા તણાવ અને ચિંતાને દૂર કરવા માટે સૌથી ફાયદાકારક માનવામાં આવે છે.
અશ્વગંધા ની ખેતી માટે સપ્ટેમ્બર-ઓક્ટોબરના મહિનો ઉત્તમ માનવામાં આવે છે
અશ્વગંધા ના અનેક પ્રકાર ના ઉપયોગ ના કારણે તેની માંગ હંમેશા રહે છે
અશ્વગંધાની ખેતી કરીને તમે ઓછા સમયમાં વધુ નફો કમાઈ શકો છે
જો તમે પણ ખેતી દ્વારા સારી કમાણી કરવા માંગો છો, તો આજે અમે તમારા માટે એવો જ એક બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ. આજકાલ લોકો ખેતી તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. લોકો નોકરી માટે તેમજ વધારાની આવક માટે ખેતી તરફ વળ્યા છે. ભારતના ખેડૂતો પણ હવે પરંપરાગત પાકોને બદલે રોકડ અને ઔષધીય છોડની ખેતી કરી રહ્યા છે. આમાંથી તેઓ સારો નફો કમાઈ રહ્યા છે. જો તમે પણ ખેતીમાંથી સારો નફો મેળવવા માંગતા હોવ તો આજે અમે તમને એવા જ એક પાક વિશે જણાવી રહ્યા છીએ.
ખરેખર, અમે અશ્વગંધા ખેતી વિશે વાત કરી રહ્યા છીએ. તમે ઓછા ખર્ચે ખેતી કરીને સુંદર કમાણી કરી શકો છો. અશ્વગંધા ની ખેતી કરીને તમે ઓછા સમયમાં વધુ નફો કમાઈને અમીર બની શકો છો. તમને જણાવી દઈએ કે અશ્વગંધા ભારતમાં હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ, કેરળ, આંધ્ર પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ઉગાડવામાં આવે છે. ખારા પાણીમાં પણ તેની ખેતી કરી શકાય છે.
સપ્ટેમ્બર-ઓક્ટોમ્બરમાં કરવામાં આવે છે અશ્વગંધાની ખેતી
અશ્વગંધાની ખેતી માટે સપ્ટેમ્બર-ઓક્ટોમ્બરનો મહિનો ખુબ જ સારો માનવામાં આવે છે અને આ જ મહિનામાં તેની ખેતી કરવામાં આવે છે. સારા પાક માટે નરમ જમીન અને તાપમાન શુષ્ક હોવું જરૂરી છે. રવિ સિઝનમાં વરસાદ પડે તો પાક સારો થાય છે. સારા પાકની કાપણી માટે ખેતરમાં ઓર્ગેનિક ખાતર નાંખવામાં આવે છે. વાવાણી માટે 10-12 કિલો પ્રતિ હેક્ટર પૂરતું છે. ત્યારે વાવાણીના 7 તી 8 દિવસમાં બીજ અંકુરિત થઈ જાય છે.
અશ્વગંધા તણાવ અને ચિંતા દૂર કરવામાં ફાયદાકારક છે
બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોના ખેડૂતો પણ હવે મોટા પાયે અશ્વગંધાનું વાવેતર કરી રહ્યા છે. અશ્વગંધા એક ઔષધીય વનસ્પતિ છે. તમામ ઔષધિઓમાં અશ્વગંધા સૌથી પ્રસિદ્ધ છે. અશ્વગંધા તણાવ અને ચિંતાને દૂર કરવા માટે સૌથી ફાયદાકારક માનવામાં આવે છે.
આ પાક ઔષધીય ગુણોથી ભરપૂર છે
અશ્વગંધાનાં અનેક ઉપયોગોને કારણે તેની માંગ હંમેશા રહે છે. અશ્વગંધાનાં ફળ, બીજ અને છાલનો ઉપયોગ કરીને અનેક પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ખર્ચથી અનેકગણો નફો થવાને કારણે અશ્વગંધાને રોકડિયો પાક પણ કહેવામાં આવે છે. એટલે કે અશ્વગંધા ની ખેતી કરીને તમે સુંદર નફો કમાઈ શકો છો.