T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં શરમજનક હાર બાદ ટીમ ઈન્ડિયા સહિત સિનિયર સિલેક્શન કમિટી અને ક્રિકેટ એડવાઈઝરી કમિટીમાં પણ ફેરફાર થશે.
શરમજનક હાર બાદ ટીમ ઈન્ડિયામાં ફેરફાર થશે
સાથે જ સિનિયર સિલેક્શન કમિટી અને ક્રિકેટ એડવાઈઝરી કમિટીમાં પણ ફેરફાર થશે
આવનાર વર્લ્ડ કપ માટે તૈયારીઓ શરૂ
ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં હાર મળી હતી. ગુરુવારે એડિલેડમાં રમાયેલી ટૂર્નામેન્ટની બીજી સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે ભારતીય ટીમને 10 વિકેટે હરાવ્યું. આ સાથે જ રોહિત શર્માના નેતૃત્વમાં ટીમની સફરનો પણ અંત આવ્યો હતો. ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇનલમાં પહેલા બેટિંગ કરીને 168 જેટલો સ્કોર બનાવ્યો હતો જેમાં ઇંગ્લેન્ડનાં ધમાકેદાર બેટ્સમેનોએ વગર કોઇ વિકેટનાં નુક્સાન પર વિજય મેળવ્યો હતો. માત્ર 16 ઓવરમાં જીત હાંસિલ કરી ટીમ ઇંગ્લેન્ડે ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવી લીધું હતું. હવે આ શરમજનક હાર બાદ ટીમ ઈન્ડિયામાં ફેરફાર થવાના છે એ ફાઇનલ છે પણ સાથે એમ પણ જાણવા મળ્યું છે કે સિનિયર સિલેક્શન કમિટી અને ક્રિકેટ એડવાઈઝરી કમિટીમાં પણ ફેરફાર થશે.
#TeamIndia put up a fight but it was England who won the match.
We had a solid run till the semifinal & enjoyed a solid support from the fans.
બધાની ખુરશી ખતરામાં
સેમી ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડના હાથે મળેલી હારને કારણે આઆખી ટીમ ઈન્ડિયામાં મોટી ઉથલપાથલ થવાની પૂરી સંભાવના છે. જણાવી દઈએ કે ભૂતપૂર્વ બેટ્સમેન ચેતન શર્મા માટે BCCIની વરિષ્ઠ પસંદગી સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનો સમય આવી ગયો છે. જો કે હાલમાં જ સૂત્રોએ કહ્યું હતું કે એમનાથી બધા ખુશ છે પણ T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારને કારણે તેમની ખુરશી પણ જોખમમાં મુકાઇ છે.
આવનાર વર્લ્ડ કપ માટે તૈયારીઓ શરૂ
મળતી જાણકારી અનુસાર BCCIએ આવતા વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપ અને 2024માં યોજાનાર T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આગળની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે બોર્ડ નવી ક્રિકેટ એડવાઇઝરી કમિટી (CAC)ની નિમણૂક કરવા જઈ રહી છે અને તેની સીધી અસર ચેતન શર્માની ખુરશી પર પડી શકે છે. ફક્ત એમના પર જ નહીં પણ આઆખી સિલેક્ટર ટીમની સમિતિમાં ફેરફારની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. 17 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમીને 1983માં હેડલાઈન્સ બનાવનાર ચેતન શર્માને 88 ઈન્ટરનેશનલ મેચોનો અનુભવ છે.
નિર્ણયો પર ઉઠી રહ્યા છે સવાલ
હાલ સિલેક્ટર્સ સમિતિના કેટલાક નિર્ણયો પર પણ સવાલ ઉઠી રહ્યા છે. એક રિપોર્ટમાં સામે અવાયું હતું કે ઇશાન કિશન અને સંજુ સેમસન જેવા ખેલાડીઓને ટી-20 ફોર્મેટ માટે તૈયાર કરવામાં આવી રહ્યા હતા પણ આ બંનેને ઓસ્ટ્રેલિયા જતી ટીમમાં સામેલ કરવામાં આવ્યા ન હતા આ ઉપરાંત હર્ષલ પટેલને વર્લ્ડ કપ માટે T20માં પ્રમોટ કરવામાં આવ્યો હતો પણ તેને એક પણ મેચમાં તક મળી ન હતી. આ બધા સિવાય મોહમ્મદ શમી અને રવિચંદ્રન અશ્વિન બંનેને ટી-20માંથી બહાર ગણવામાં આવતા હતા પણ અચાનક જ એ બંનેનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. શમી એક વર્ષ પછી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછો ફર્યો અને એ છતાં પણ આ વખતે કોઈ ખાસ પ્રદર્શન બતાવી શક્યો નથી.