2017ની ચૂંટણીમાં ભાજપે SC અનામત ધરાવતી 13 બેઠકોમાંથી 7 જીતી હતી, જ્યારે કોંગ્રેસના ખાતામાં પાંચ ગઈ હતી અને એક અપક્ષ જીગ્નેશ મેવાણીએ જીતી હતી
અનુસૂચિત જાતિ વિસ્તાર ધરાવતી 20માંથી કોણ કેટલી જીત્યો?
2017 કરતા 2022ની ચૂંટણીનો માહોલ અલગ છે
આદિવાસીઓ માટેનો ભાજપનો માસ્ટર પ્લાન
ગુજરાત વિધાસભાની 182 બેઠકોમાંથી 13 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે સાથો સાથે 24થી વધુ આવી બેઠકો છે જ્યાં SC અને ST મતદાતાઓ ઉમેદવારની જીત-હાર પણ નક્કી કરી શકે છે.આ ચૂંટણીમાં લગભગ 50 બેઠકો પર પરિણામો ચોંકવનાર આવી શકે છે કેમ કે, 2017ના મુકબલા કરતા 2022ની ચૂંટણીનો માહોલ અલગ છે. આ ચૂંટણી પહેલાની બધી જ ચૂંટણીઓ કરતા થોડી અલગ છે કારાણ કે, દર વખત બે પક્ષ વચ્ચે રાજકીય જંગ જામતો પરંતુ આ વખતે ત્રીકોણિયો જંગ જામ્યો છે અને આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી છે તેમજ તે સિવાય 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને સાથ દઈ રહેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ આ વખત ભાજપમાં છે. 2017ની ચૂંટણીમાં ભાજપે SC અનામત ધરાવતી 13 બેઠકોમાંથી 7 જીતી હતી, જ્યારે કોંગ્રેસના ખાતામાં પાંચ ગઈ હતી અને એક અપક્ષ જીગ્નેશ મેવાણીએ જીતી હતી
અનુસૂચિત જાતિ વિસ્તારની બેઠકો કોને કેટલી મળી હતી
ગત ચૂંટણીઓના આંકડા જોઈએ તો કેટલીક બેઠકો પર કોઈ પણ પક્ષનો ભારે દબદબો રહ્યો નથી. 2012માં અમદાવાદ અને ગાંધીનગરની શહેરી વિસ્તારમાં તેમજ કચ્છ, ઉત્તર ગુજરાતની કેટલી સીટો પર ભાજપનો સારો દબદબો રહ્યો અને સારા માર્જિનથી બેઠકો પણ જીતી હતી, ભાજપે અનુસૂચિત જાતિ વિસ્તાર ધરાવતી 20 બેઠકોમાંથી 15 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસે ફક્ત 5 સીટો જીતી હતી. 2017ની ચૂંટણીમાં ભાજપનો પ્રદર્શન ખરાબ રહ્યો અને તેમની સીટો ઘટીને 9 થઈ ગઈ હતી. વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને મોટા ફાયદો પાટીદાર આંદોલનનો પણ મળ્યો હતો જેના કારણે કોંગ્રેસને ઘણો લાભ થયો હતો.
આદિવાસી વિસ્તારની બેઠકો પર કોનો રહ્યો દબદબો
આદિવાસી મતદાતા ધરાવતી બેઠકોની વાત કરીએ તો સૌથી વધારે બેઠકો મધ્ય પ્રદેશની સરહદે આવેલા જિલ્લાઓમાં છે 2012માં ST મતદાતા ધરાવતી 31 સીટોમાંથી 15 ભાજપને મળી હતી અને 16 કોંગ્રેસને મળી હતી. 2017માં ભાજપને 2012 કરતાએ ઓછી માત્ર 14 બેઠકો જ મળી હતી જ્યારે કોંગ્રેસને 17 બેઠકો મળી હતી.
આદિવાસીઓ માટે ભાજપનો માસ્ટર પ્લાન રહેશે સફળ
ભાજપે આદિવાસીઓના હિતમાં પણ અનેક યોજના બનાવી છે તેમજ દ્રૌપદી મૂર્મુને દેશને પહેલા આદિવાસી રાષ્ટ્રપતિ બનાવ્યાનો શ્રેય પણ ભાજપ લએ છે. પરંતુ આ બધાની વચ્ચે એ જણાવુ પણ મહત્વનું રહશે કે, આ બધી બાબતો ભાજપ માટે કેટલી લાભદાઈ નીવડે છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી રાજકીય મેદાનમાં ઉતરવાથી દલિત મતદાતામાં મોટો ભાગલો પાડી શકે છે, અને ભાજપ સતત સાતમી વાર સત્તા વાપસી જોઈ રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ 27 વર્ષથી ગુજરાતના સાશનથી વંચિત છે જે માટે સત્તામાં બેસવાનો વિચારી રહી છે. તેમજ આમ આદમી પાર્ટી પોતાને મજબૂત બનાવવા સંઘર્ષ કરી રહી છે.