તાલાલા ગીરના જશવંતભાઈ નામના પ્રગતિશિલ ખેડૂતે પોતાના ખેતરમાં 800 જેટલા કાજુના છોડ વાવ્યા અને આજે તેમાંથી તેઓ મબલખ કમાણી કરી રહ્યા છે
ગોવા જ નહીં, ગુજરાતમાં પણ કાજુ થાય
ગીર સોમનાથના ખેડૂતનો નવતર પ્રયોગ
એક દાયકાની મહેનત લાવી રંગ
પ્રગતિ એ જ કરી શકે જે પોતાનો પથ જાતે બનાવી શકે અને સફળતા એ જ મેળવી શકે જે પ્રવાહની સામે તરવાની હિંમત દાખવી શકે. જે બધા જ વિચારે છે તેનાથી અલગ જે વિચારી શકે અને પોતાના વિચારો પર અમલ કરવાની હિંમત દાખવી શકે તેના માટે કોઈ જ કામ અશક્ય નથી હોતું. આ બધી વાતને ધાવી ગીર ગામના એક પ્રગતિશિલ ખેડૂતે સાચી કારી બતાવી છે.
ગીરમાં કરી કાજુની ખેતી
વાત છે ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાનું ધાવા ગીર ગામની. આમ તો ગીર વિસ્તાર કેરી માટે જાણીતો છે પણ એક યુવકે ગીરમાં કાજુની ખેતી કરી બતાવી છે અને આ શક્ય બનાવ્યું છે ધાવા ગીર ગામના ખેડૂત જશમંતભાઈ રોલાએ. જણાવી દઈએ કે તાલાલા ગીરના જશવંતભાઈ નામના પ્રગતિશિલ ખેડૂતે પોતાના ખેતરમાં 800 જેટલા કાજુના છોડ વાવ્યા અને આજે તેમાંથી તેઓ મબલખ કમાણી કરી રહ્યા છે
15 વર્ષ પહેલા કાજુના 800 છોડ વાવ્યા હતા
જશવંતભાઈએ જ્યારે કાજુની ખેતી કરવાનો વિચાર કર્યો ત્યારે કૃષિ નિષ્ણાંતોએ પણ તેમને એવી જ સલાહ આપી હતી કે આ પ્રકારનો પાક આ જમીનમાં ન થઈ શકે પણ જશવંતભાઈ પોતાના નિર્ણય પર અટલ રહ્યા હતા અને એમને 15 વર્ષ પહેલા કાજુના 800 છોડ વાવ્યા હતા. 15 વર્ષ પહેલાની મહેનત ફળી અને આજે કાજુના 80 છોડ આજે પરિપક્વ થઈ ગયા છે. એક દાયકાની મહેનત બાદ આજે તેઓ કાજુનું સફળતાપૂર્વક ઉત્પાદન મેળવી રહ્યા છે.
ગીરમાં કાજુ ઉગાડીને ખેડૂતે નવો ચીલો ચાતર્યો
કાજુની ખેતી કરનાર જશવંતભાઈનું માનવું છે કે કાજુના ફળને વેચવામાં ન આવે અને માત્ર કાજુ જ વેચવામાં આવે તો પણ ખેડૂતોને મોટા ફાયદો થઈ શકે તેમ છે... વળી કાજુને જંગલી પશુઓ કે પક્ષીઓ પણ નુકસાન પહોંચાડતા નથી જેથી ખેડૂતોને તેમાં ફાયદો થાય છે. હાલમાં ગીરની કેસર કેરી દુનિયભરમાં પ્રખ્યાત છે પણ ગીરના આ ખેડૂતે અહીં કાજુ ઉગાડીને એક નવો ચીલો ચાતર્યો છે. જે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ છે.
કાજુની માંગ આંતરરાષ્ટ્રીય સ્તરે રહે છે જેથી તેમાં સારી આવક મેળવી શકાય છે આ સાથે જ કાજુના ફળમાંથી દારૂ બનાવવામાં આવે છે એટલે તેની પણ ઘણી જ માંગ રહે છે પણ આ બધા વચ્ચે કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે ગોવા કે અન્ય રાજ્યોમાં વિદેશી દારૂની ફેક્ટરીઓ હોવાથી ત્યાંના ખેડૂતો મબલખ કમાણી કરી શકે છે જ્યારે ગુજરાતમાં આ પ્રકારના એકમો નહીં હોવાથી ખેડૂતોને તકલીફ પડી શકે છે.