વિરાટ કોહલીએ IPL 2021 શરૂ થતા પહેલા ભારતીય ફેન્સને ઝાટકો આપ્યો છે.
વિરાટ કોહલીએ ફેન્સને આપ્યો ઝાટકો
કેપ્ટનશીપની સાથે ક્રિકેટ પણ છોડી શકે છે કોહલી
વર્કલોડ છે કહીને વિરાટે છોડી કેપ્ટનશીપ
કોહલીએ ગયા અઠવાડીયે વર્કલોડ છે તેમ કહીને ટી 20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટી20 ટીમની કપ્તાની છોડવાનું એલાન કર્યું છે. તે બાદ કોહલીએ IPL 2021 બાદ RCBની કપ્તાની પણ છોડવાનું એલાન કર્યું છે.
ભારતની કપ્તાની કરતાં કોહલી એક પણ ICC ટ્રોફી અપાવી શક્યો નથી. સાથે જ RCBને પણ એક પણ વાર ચેમ્પિયન બનાવી શક્યો નથી. વન ડેમાં તેણે જબરદસ્ત પફોર્મન્સ આપ્યુ છે પરંતુ ટી20માં તેનું પ્રદર્શન ખરાબ થઇ ગયું છે.
કોહલી ગયા બે વર્ષમાં સારી ઇનીંગ રમવા તરસી રહ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 70 શતક મારી ચૂકેલ કોહલી નવેમ્બર 2019 બાદ સેન્ચ્યુરી મારી શક્યો નથી. બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વિરાટે ટી20 ફોર્મેટમાં કપ્તાની છોડવાની ઘોષણા કરી છે. કોહલી 5 નવેમ્બરે 33 વર્ષનો થઇ ગયો છે. હજુ પણ તે 4-5 વર્ષ ક્રિકેટ રમી શકે છે. ક્રિકેટમાં જોવામાં આવ્યું છે કે લાંબુ કરિયર બનાવવા માટે બેટ્સમેન એક ફોર્મને છોડી દે છે. સચિન તેંદૂલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, અનિલ કુંબલે જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ પોતાના કરિયરના છેલ્લા દિવસોમાં માત્ર ટેસ્ટ ક્રિકેટ જ રમતાં હતા. કોહલી પણ એક ફોર્મેટને છોડી શકે છે.
ટી20 ટીમની કપ્તાની છોડ્યા બાદ વિરાટ ટી20માં નહી રમે તેવું લાગી રહ્યું છે. ભારતીય ટીમ ટી 20 વર્લ્ડ કપ બાદ શરૂ થનારી ઘરેલૂ સિઝનમાં 14 ટી20, 4 ટેસ્ટ, 3 વન ડે રમાશે. આવતા વર્ષે પણ ટી 20 વર્લ્ડ કપ રમાશે પરંતુ માનવામાં આવે છે કે કોહલી ટી20 મૅચમાંથી હટી શકે છે. છેલ્લા 4 વર્ષમાં ટી20 ઇન્ટરનેશન ક્રિકેટમાંથી ઘણી વાર બ્રેક લઇ ચૂક્યો છે.
વિરાટ આ પહેલા પણ ટીમ ઇન્ડિયાના બિઝી શેડ્યુલ અને વર્કલોડ મેનેજમેન્ટ પર સવાલ ઉછાવી ચૂક્યો છે. આ દિવસોમાં મેદાનમાં ઉતરતી વખતે બાયો બબલમાં રહેવું જરૂરી છે. આનો પ્રભાવ પણ ખેલાડીઓના માનસિક સ્વાસ્થ્ય પર અસર નાંખી રહી છે. હવે વિરાટ પાસે તક છે કે તે ટી20 ઇન્ટરનેશનલથી અલગ થઇને પોતાનો વર્કલોડ ઓછો કરી શકે છે.