ઓક્સિજનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની જરુર
મેદાંતના ચેરમેન ડો.નરેશ ત્રેહને જણાવ્યું કે જો આપણે વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરીએ તો આજે આપણી પાસે ઘણો ઓક્સિજન હોઈ શકે. હું લોકોને કહેવા માંગું છું કે જો તમારે ઓક્સિજનની જરુર ન હોય તો સુરક્ષા માટે તેનો ઉપયોગ ન કરો જેથી કરીને જરુરીયાતમંદ લોકોને મળી શકે. અમે એક પ્રોટોકોલ બનાવ્યો છે કે રેમડેસિવિર તમામ પોઝિટીવ દર્દીઓને આપવાની જરુર નથી. દર્દીઓના ટેસ્ટ રિઝલ્ટ, લક્ષણ, ગંભીર બીમારી જોયા બાદ ડોક્ટર દ્વારા આપવામાં આવશે. રેમડેસિવિર કોઈ રામબાણ ઉપાય નથી. બધા લોકોએ હોસ્પિટલમાં ભરતી થવાની જરુર નથી. હોસ્પિટલોની બેડનો ઉપયોગ વિવેકપૂર્ણ અને જવાબદારીપૂર્વક કરવો જોઈએ. આ જવાબદારી આપણા બધાની છે.
ઓ2 સેચ્યુરેશન 94 ટકાથી ઉપર હોય તો ડરવાની જરુર નથી
ડોક્ટર શેટ્ટીએ જણાવ્યું કે જો તમારુ ઓ2 સેચ્યુરેશન 94 ટકાથી ઉપર હોય તો કોઈ વાંધો નથી. પરંતુ એક્સરસાઈઝ પછી આમાં ઘટાડો થાય તો તમારે ડોક્ટર પાસે જવું જોઈએ. તમે સમયસર સારવાર કરાવો તે ઘણુ જરુરી છે. આ લક્ષણો હોય તો તપાસ કરાવજો.
ડ્રાય માઉથ
ઓટોઇમ્યૂન બિમારી હવે કોવિડ-19ના સંક્રમણનું લક્ષણ બની ગયુ છે. મોઢુ સુકાવાનો મતલબ છે કે તમારા મોઢામાં લાળનું ઉત્પાદન ન થાય તો તેને નજરઅંદાજ ન કરશો.
મોઢામાંથી વાસ આવવી
મોઢુ સુકાવવાની જગ્યાએ માત્ર બોલવામાં અને ખાવામાં જ નહી પરંતુ ઘણી વાસ શ્વાસમાં પણ તકલીફ થાય છે. એટલા માટે મોઢામાંથી વાસ આવે છે. જો તમારા મોઢામાં વાસ આવે તો ડૉક્ટર પાસે જાઓ.
લક્ષણો બદલાયા છે
2020માં કોરોનાની શરૂઆત થઇ ત્યારે તેના લક્ષણ શરદી, ખાંસી, તાવ વગેરે હતા પરંતુ હવે નવા સ્ટ્રેનમાં લક્ષણો પણ બદલાયા છે. જેનાથી તમને ખબર પડશે કે તમને કોરોના થયો છે કે નહી અને તપાસ કરાવવી જોઇએ કે નહી.
પેટમાં દુખવુ અને બેચેની
ગરમી આવે એટલે સામાન્ય રીતે બેચેની થવા લાગે છે અને લોકો તેને નજરઅંદાજ કરી દે છે પરંતુ છેલ્લા થોડા દિવસમાં આવેલા પેશન્ટમાં બેચેની અને પેટના દુખાવાની ફરિયાદ લઇને આવ્યા હતા અને તે પોઝીટીવ આવ્યા છે. જો તમને આ સમસ્યા બે કે ત્રણ દિવસથી વધારે રહે છે તો તેને હલકામાં ન લેશો
માંસપેશીઓમાં દુખાવો અને કમજોરી
કમજોરી પણ કોરોનાના લક્ષણમાં સામાન્ય રીતે જોવા મળે છે. ઘણા દર્દીઓ જણાવે છે કે તેમને એવુ ફીલ થાય છે કે તે આળસના શિકાર બની ગયા હોય. તેમના શરીરમાં ઉર્જા જ ન રહે અને જો તે કોઇ જગ્યાએ બેસે તો એક બે કલાક સુધી ઉભા ન થઇ શકે. વધારે ચાલવા પર તેમને થાક લાગી જાય છે. માંસપેશીઓમાં પણ દુખાવો થાય છે. જો તમને આવા લક્ષણ છે તો તાત્કાલિક તપાસ કરાવી લો.
ભૂખ ન લાગવી અને મેન્ટલ હેલ્થ પર અસર
પહેલા કોરોનાના પોસ્ટ લક્ષણમાં જોવા મળતુ હતુ પરંતુ હવે મુખ્ય લક્ષણમાં આવી ગયુ છે કે કોરોનાના પેશન્ટને સામાન્ય રીતે મેન્ટલ હેલ્થ પર અસર થઇ જાય છે. સ્વભાવ ચિડીયો થઇ જાય છે અને માણસ શારીરિક અને માનસિક રૂપથી કમજોર થઇ જાય છે.