ભૂતડી અમાસના દિવસે 4 ઉપાય કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે અને પરિવારમાં સકારાત્મક ઊર્જા વધે છે. વેપારમાં તરક્કી થાય છે અને નોકરીમાં સારી તક મળે છે.
સનાતન ધર્મમાં ચૈત્ર અમાસનું વિશેષ મહત્ત્વ.
આ દિવસે 4 ઉપાય કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે.
આ દિવસે દાન કરવાનું અનેરું મહત્ત્વ છે.
સનાતન ધર્મમાં ચૈત્ર અમાસનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ અમાસને ભૂતડી અથવા ભૂમવતી અમાસ તરીકે ઓળખવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ દિવસે ગંગા તથા અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી તમામ પાપ ધોવાઈ જાય છે. આ દિવસે દાન કરવાનું અનેરું મહત્ત્વ છે. આ પ્રકારે કરવાથી વેપારમાં તરક્કી થાય છે અને નોકરીમાં સારી તક મળે છે. આ વર્ષે 21 માર્ચના રોજ ચૈત્ર અમાસ એટલે કે, ભૂતડી અમાસ છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આ દિવસે 4 ઉપાય કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે અને પરિવારમાં સકારાત્મક ઊર્જા વધે છે. આ ઉપાય વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
સંતાન સુખ પ્રાપ્તિ
લગ્નના વધુ સમય પછી પણ સંતાન સુખ નથી મળી રહ્યું, તો ચૈત્ર અમાસના દિવસે લોટામાં પાણી, કાળા તલ, દૂધ અને જવ મિશ્ર કરીને પીપળાના ઝાડ પર અર્પણ કરો. હવે 7 વાર પીપળાના ઝાડની પરિક્રમા કરો. સાંજે પીપળાના ઝાડ પાસે સરસવના તેલનો દીવો કરો. આ પ્રકારે કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે.
મંગળ દોષ દૂર થાય છે
જો તમે મંગળ દોષથી પીડિત છો, તો ભૌમવતી અમાસના દિવસે મંગળના બીજ લઈને 'ॐ क्रां क्रीं क्रौं सः भौमाय नमः' મંત્રનો જાપ કરો. જેની સાથે જરૂરિયાતમંદોને કસ્તૂરી, ગોળ, ઘી, લાલ મસૂરની દાળ, કેસર, મગ, સોના, તાંબાના વાસણ અને લાલ કપડાનું દાન કરો. આ પ્રકારે કરવાથી મંગળદોષથી મુક્તિ મળે છે.
નોકરી અને બિઝનેસમાં તરક્કી
અનેક વાર પ્રયાસ કરવા છતાં નોકરી અને બિઝનેસમાં તરક્કી નથી મળી રહી તો, ચૈત્ર અમાસના દિવસે આ ઉપાય કરો. ચૈત્ર અમાસના દિવસે હનુમાનજીને લાલ રંગના કપડા અર્પણ કરો અને રામ રક્ષા સ્તોત્રના પાઠ કરો. ચોખા, દૂધ અને કપડાનું દાન કરવાને શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, આ ઉપાય કરવાથી પિતૃઓની નારાજગી દૂર થાય છે અને જે પણ કામ અટકેલા છે, તે કામ પૂર્ણ થઈ જાય છે.
પિતૃદોષથી મુક્તિ
જે લોકો પર પિતૃદોષ લાગેલ છે, તેમણે ચૈત્ર અમાસના દિવસે પિતૃઓની પૂજા કરીને તેમને પ્રસન્ન કરવા જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આ દિવસે તલનું દાન કરવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે અને તે જાતકોને પિતૃદોષથી મુક્તિ મળે છે. આ ઉપાય કરવાથી પરિવારમાં સકારાત્મક ઊર્જાનો સંચય થાય છે.