2014માં લાલા કિલ્લા પરથી પોતાના પહેલા સંબોધનમાં સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર નિર્માણ માટે સાંસદ આદર્શ ગ્રામ યોજના (SAGY) ની જાહેરાત કરી હતી, જેમાં લોકસભા સાંસદોને અપીલ કરવામાં આવી હતી કે 2016 સુધીમાં પોતાના અથવા પોતાના ક્ષેત્રના એક ગામને આદર્શ ગામ બનાવો.
PM મોદીએ સાંસદ આદર્શ ગ્રામ યોજના (SAGY) ની જાહેરાત કરી હતી
ભારતના પ્રત્યેક જિલ્લામાં એક મોડલ ગામ આપીએ
સાંસદોને આ કામમાં કોઇ રસ નથી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 2016 બીજા બે ગામની પસંદગી કરો અને 2019 પછી ઓછામાં ઓછા 5 મોડલ ગામોની પસંદગી કરી વિકાસ કરો. પીએમ મોદીએ રાજ્યસભાના સાંસદોને પણ કહ્યું હતું કે એક ગામને આદર્શ બનવા પસંદ કરો.
પીએમ મોદીએ કહ્યું હતું કે જો આપણે ભારતના પ્રત્યેક જિલ્લામાં એક મોડલ ગામ આપીએ છીએ તો આસપાસના ગામો સ્વભાવિક રીતે પ્રોત્સાહિત થશે અને આદર્શ ગ્રામના મોડલનું અનુપાલન કરશે.
જો કે આ યોજના શરૂ થયાના પાંચ વર્ષ બાદ સરકારી આંકડા બતાવી રહ્યાં છે કે સાંસદોને આ કામમાં કોઇ રસ નથી. હાલની સંસદના બે તૃતીયાંશ સાંસદોએ આ યોજનાના ચોથા તબક્કામાં હજુ સુધી કોઇ ગ્રામ પંચાયતની પસંદગી કરી નથી. હાલના સમયે સંસદના સભ્યોની સંખ્યા 790 છે. જેમાં પસંદગી કરેલ અને નામાંકિત બંને સામેલ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રના સંબોધનના બે મહીના બાદ 11 ઓક્ટોબર, 2014થી શરૂ થયેલ સાંસદ આદર્શ ગ્રામ યોજનાના પ્રથમ તબક્કામાં 703 સાંસદોએ ગામને દત્તક લીધા હતા પરંતુ બીજા તબક્કામાં આ સંખ્યા ઘટીને 497 થઇ ગઇ.
જ્યારે ત્રીજા તબક્કામાં 301 સાંસદોએ ગામને વિકસિત કરવા દત્તક લીધા. જ્યારે ચોથા તબક્કામાં સંખ્યા ઘટીને 252 પર પહોંચી ગઇ. આ પાંચ વર્ષમાં 451 સાંસદોની સંખ્યા ઘટી ગઇ. કુલ ચાર તબક્કામાં હજુ સુધી માત્ર 1753 ગ્રામ પંચાયતની દત્તક લેવામાં આવી છે.
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયની વેબસાઇઠ પરથી ઉપલબ્ધ આંકડાઓ અનુસાર ડિસેમ્બર 2019ના અંત સુધીમાં 252 સાંસદોએ ચોથા તબક્કામાં સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ ગ્રામ પંચાયતોને દત્તક લીધા છે.
તેમાં 208 લોકસભાના સાંસદ છે, જ્યારે 44 રાજ્યસભાના સાંસદ છે. લોકસભામાં કુલ 545 સાંસદ છે. જેમાં 2 નામાંકિત છે. આ રીતે રાજ્યસભામાં 245 સાંસદ છે જેમાં 12 નામાંકિત છે. 1 જાન્યુઆરી 2020ના આંકડા મુજબ રાજ્યસભામાં 240 સાંસદ છે, જ્યારે 5 બેઠક ખાલી છે.