ચીન સરહદે ચાલી રહેલા ડિસએન્ગેજમેન્ટના મુદ્દે કેન્દ્ર સરકાર પર રાહુલના ગંભીર આક્ષેપ બાદ સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કર્યું છે.
સંરક્ષણ મંત્રાલયે રાહુલના દાવાને ખોટો ગણાવ્યો
ડિસએન્ગેજમેન્ટ અંગે કરાઈ રહેલા દાવા ખોટા અને ગેરમાર્ગે દોરનાર- સંરક્ષણ મંત્રાલય
પૈંગોંગ સરોવરના ઉત્તરીય કિનારા પર બન્ને દેશની કાયમી ચોકીઓ ઘણી જુની છે.
પૈંગોંગ સરોવરના ઉત્તરીય કિનારા સ્થિત ફિંગર-4 સુધીનો વિસ્તાર ભારતીય સરહદમાં આવે છે તેવા રાહુલના દાવાને ખોટો ગણાવતા મંત્રાલયે કહ્યું કે ભારતના હિસાબે લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ ફિંગર-8 છે.
ડિસએન્ગેજમેન્ટ અંગેના દાવા ખોટા અને ગેરમાર્ગે દોરનાર
સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે અમે મીડિયા અને સોશિયલ મીડિયામા પૈંગોંગ સરોવરમાં જારી ડિસએન્ગેજમેન્ટ અંગે કરાઈ રહેલા ખોટા અને ગેરમાર્ગે દોરનાર દાવાની નોંધ લીધી છે. ત્યાં જે પણ સ્થિતિ છે તે અંગે સંરક્ષણ મંત્રી સંસદમાં કહી ચૂક્યા છે. તેમ છતાં પણ ખોટા દાવા કરાઈ રહ્યાં છે.
ભારતીય વિસ્તાર ફિંગર-4 સુધી તેવું કહેવું તદ્દન ખોટું
સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે એવું કહેવું ખોટું છે કે ભારતીય વિસ્તાર ફિંગર-4 સુધી છે, સ્પસ્ટ રીતે ખોટું છે. નકશામાં ભારતીય વિસ્તાર દર્શાવાયો છે અને તેમાં 43,000 ચોરસ કિલોમીટરનો તે વિસ્તાર પણ સામેલ છે જે 1962 થી ચીનના ગેરકાયદેસર કબજામાં છે. ત્યાં સુધી કે ભારત અનુસાર એલએસી ફિંગર-8 પર છે. તેને કારણે ભારત સતત ફિંગર-8 સુધી પેટ્રોલિંગનો કરવાના અધિકારનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે. ચીન સાથેની તાજેતરની મંત્રણામાં પણ આ વાત દોહરાવાઈ હતી.
પૈંગોંગ સરોવરના ઉત્તરીય કિનારા પર બન્ને દેશની કાયમી ચોકીઓ ઘણી જુની છે. ભારત તરફથી આ ધનસિંહ થાપા પોસ્ટ છે જે ફિંગર 3ની પાસે છે. ચીનની કાયમી ચોકી ફિંગર 8 પૈંગોંગ સરોવરની ફિંગર 3 અને 4 ની વચ્ચે છે.
શું છે વાસ્તવિક અંકૂશરેખા
પૂર્વ લદ્દાખમાં 3488 કિલોમીટર લાંબી વાસ્તવિક અંકૂશરેખા (એલએસી) નો આશરે 826 કિલોમીટરનો વિસ્તાર આવે છે. આ ભાગની વચ્ચોવચ પૈંગોંગ સરોવર છે.
14,000 ફુટ કરતા પણ વધારે ઊંચાઈએ આવેલા આ સરોવરના ઉત્તર કિનારે સુમસામ પહાડ છે તેમાં જે પર્વત સ્કંધ નીકળીને સરોવરમાં મળે તેને ફિંગર્સ કહેવાય છે.