PAN સંબંધિત ઘણા પ્રકારના દાવાઓ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને આવો જ એક દાવો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
પાન કાર્ડ અપડેટ કરવું જોઈએ નહીં તો બેંક એકાઉન્ટ બંધ થઈ જશે
શું છે આ વાયરલ મેસેજમાં કરવામાં આવતા દાવાની સત્યતા?
PAN અને આધારને લિંક કરવાની છેલ્લી તારીખ નજીક છે અને આ માટે લોકોને વિવિધ માધ્યમો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેઓ વહેલામાં વહેલી તકે લિંક કરી લે નહીંતર પાછળથી ઘણી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. જો આધાર પાન લિંક ન થયું તો પાન કાર્ડ સંબંધિત તમામ કામ બંધ થઈ જશે અને આ માટે દંડ પણ ભરવો પડશે.
આ સાથે જ PAN સંબંધિત ઘણા પ્રકારના દાવાઓ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને આવો જ એક દાવો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે શક્ય તેટલી વહેલી તકે તમારું પાન કાર્ડ અપડેટ કરવું જોઈએ નહીં તો બેંક એકાઉન્ટ બંધ થઈ જશે.
શું છે વાયરલ મેસેજ
જણાવી દઈએ કે લોકોના ફોન પર એક મેસેજ આવી રહ્યો છે, જેમાં જલ્દીથી જલ્દી PAN કાર્ડ અપડેટ કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તમારું બેંક એકાઉન્ટ પણ બંધ થઈ શકે છે. આ સાથે જ PAN અપડેટ કરવા માટે એક લિંક પણ આપવામાં આવી રહી છે. જેના પર તરત જ ક્લિક કરવા માટે કહેવામાં આવી રહ્યું છે અણએ દાવામાં કહેવામાં આવ્યું છે કે આ લિંક દ્વારા તમે તમારું PAN અપડેટ કરીને તમારું એકાઉન્ટ બંધ થવાથી બચાવી શકો છો.
A #Fake message issued in the name of @TheOfficialSBI is asking recipients to update their PAN on a suspicious link to prevent their account from getting expired.#PIBFactCheck
શું છે આ વાયરલ મેસેજમાં કરવામાં આવતા દાવાની સત્યતા
જણાવીએ આ મેસેજ સંપૂર્ણપણે ફેક છે. બેંકો દ્વારા આવો સંદેશ કોઈને મોકલવામાં આવતો નથી. તમને PAN અને Aadhaar ને લિંક કરવાના મેસેજ આવ્યા હશે પણ તેમાં કોઈ લિંક આપવામાં આવી નથી. PAN અપડેટનો દાવો કરતો આ મેસેજ એક છેતરપિંડી છે. જો કે મોટાભાગના લોકો આ લિંક પર ક્લિક કરતા નથી પણ કેટલાક લોકો એવા છે જે આ PAN અપડેટના દાવાને સાચો માનીને એ લિંક પર ક્લિક કરે છે.
જો તમે આ લિંક ક્લિક કરો છો તો તમારું બેંક ખાતું ખાલી થઈ શકે છે. એટલા માટે ભૂલથી પણ આવા મેસેજ પર વિશ્વાસ ન કરો. પીઆઈબી ફેક્ટ ચેકે તેના ટ્વિટર હેન્ડલથી આ વાયરલ મેસેજની હકીકત તપાસી અને જાણવા મળ્યું કે આ મેસેજ સંપૂર્ણપણે ખોટો છે.