શુક્રવારે પદભાર સંભાળ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વિવિધ મંત્રાલયોના સચિવો સાથે બેઠક યોજી હતી. અધિકારીઓ સાથેની બેઠકમાં તેમણે કહ્યું હતું કે જાહેર નાણાંનો બિનજરૂરી બગાડ થાય નહીં તેના માટે સાવધાન રહેવું.
ઉદ્ધવ ઠાકરેએ સંભાળ્યો CM પદનો ચાર્જ
પત્રકારોને કર્યું સંબોધન
આરેમાં રોકવામાં આવ્યું મેટ્રો શેડનું કામ
અધિકારીઓ સાથેની બેઠક પૂર્ણ થયાં બાદ ઉદ્ધવ ઠાકરે પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, 'આજે હું તમારી સાથે વાત કરીને ખૂબ જ ખુશ છું, આપણો સંબંધ ઘણો લાંબો છે, જ્યારે શિવસેનાના વડા બાળાસાહેબ ઠાકરે હતા. હું સમજું છું કે હું સીએમ છું જેની કોઈએ અપેક્ષા નહોતી કરી, મારા પરિવારમાં કોઈએ સીધી સરકાર ચલાવી નથી. હું મારા આખા જીવનમાં ફક્ત 2-3 મંત્રાલય ગયો છું.
महाराष्ट्राचे मुख्यमंत्री मा. श्री. उद्धव साहेब ठाकरे यांनी आज मंत्रालय, मुंबई येथे मुख्यमंत्रीपदाचा पदभार स्वीकारला. pic.twitter.com/nu7QUYYi4m
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આટલા વર્ષોમાં પણ મહારાષ્ટ્રની સ્થિતિ એક જેવી જ છે. મારા દાદા કહેતા હતા કે જ્યારે કોઈ પત્રકાર કોઈની ટીકા કરે છે, ત્યારે સંબંધિત વ્યક્તિએ પણ તે બાબતો વિશે વિચારવું જોઇએ. હજી સુધી કોઈએ પૂછ્યું નથી કે પાછલી સરકારે આપેલા વચનો પૂરા થયા છે કે કેમ? તમારે પણ સજાગ રહેવું પડશે.
તમારા સહકારની અપેક્ષા રાખું છું : ઉદ્ધવ ઠાકરે
Maharashtra Chief Minister Uddhav Thackeray: I am the first Chief Minister who was born in Mumbai. It is going on in my mind, what I can do for the city. https://t.co/61GWwKORSN
મુખ્યમંત્રીએ કહ્યું કે મુંબઈના આરેમાં મેટ્રો શેડનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. જોકે મેટ્રો લાઇન કામ કરવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું કે મેં આરે મેટ્રો કાર શેડ પ્રોજેક્ટનું કામ બંધ કરવાના આદેશો આપ્યા છે. મેટ્રોનું કામ અટકશે નહીં, પણ આરે કોલોનીમાં એક પાન પણ કપાશે નહીં. ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે મુખ્યમંત્રી પદ ધારણ કરવું મારા માટે પણ પડકારજનક હશે, હું તમારા સહકારની આશા રાખું છું.
पर्यावरणाबाबत सखोल अवलोकन करून पुढील दिशा ठरवेपर्यंत आरेतील मेट्रो कारशेडच्या कामाला स्थगिती देणार. मुख्यमंत्री उद्धव ठाकरे यांची घोषणा. (3/3)@OfficeofUTpic.twitter.com/EYaB2jydGr
આપને જણાવી દઈએ કે ઉદ્ધવે શુક્રવારે ઔપચારિક રીતે ચાર્જ સંભાળ્યો હતો. તેઓ લગભગ 2 વાગ્યા પછી મંત્રાલયના છઠ્ઠા માળે સ્થિત મુખ્યમંત્રી કાર્યાલય ગયા અને ચાર્જ સંભાળ્યો. ઓફિસની બહાર 'ઉદ્ધવ બાલા સાહેબ ઠાકરે' નામની પ્લેટ લગાવાઈ છે. જ્યારે તેઓ મંત્રાલય પહોંચ્યા ત્યારે તેમણે બિલ્ડિંગમાં છત્રપતિ શિવાજી મહારાજની તસવીર ઉપર પુષ્પાંજલિ આપી. બાન્દ્રામાં ઠાકરે પરિવારના નિવાસસ્થાન, મતોશ્રીથી મંત્રાલય તરફ જતા હતા ત્યારે તેઓ દક્ષિણ મુંબઈના હુતાત્મા ચોકમાં રોકાયા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.