પાકિસ્તાન સરકાર સમયાંતરે માછીમારોને મુક્ત કરે છે.પરંતુ લાખો રૂપિયા ની બોટો મુક્ત કરતા નથી પરિણામે માછીમારને પોતાનું ગુજરાન ચલાવવું દોહલું. કેન્દ્ર સરકાર બોટ મુક્ત કરાવે.
પાકિસ્તાને ઝડપેલી બોટ છોડાવા માંગણી
કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય બોટો છોડાવે
ભારતની અંદાજીત 1200 જેટલી બોટ પાક.માં
પાકિસ્તાન દ્વારા અવાર નવાર ભારતીય બોટો અને માછીમારો ના અપહરણ ની ઘટના સામે આવે છે.પાકિસ્તાન સરકાર સમય આંતરે માછીમારો ને મુક્ત કરે છે.પરંતુ લાખો રૂપિયા ની બોટો મુક્ત કરતા નથી જેને કારણે માછીમાર ને પોતાનું ગુજરાન ચાલવું મુશ્કેલ પડે છે .ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય બોટો ને પણ પાકિસ્તાનના કબ્જા માંથી મુક્ત કરવા માંગ કરવામાં આવી છે.
પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અવાર નવાર ભારતીય બોટો અને માછીમારોના અપહરણની ઘટના સામે આવે છે.પાકિસ્તાન દ્વારા સમય આંતરે ભારતીય માછીમારોને મુક્ત કરે છે.પરંતુ લાખો રૂપિયા ની બોટો છોડવામા આવતી નથી. હાલ પાકિસ્તાન ના કબજામાં ભારતની અંદાજીત 1200 જેટલી બોટો છે.વર્ષ 2014 માં કૉંગ્રેશ ની સરકાર દ્વારા 57 બોટો ને પાકિસ્તાન ના કબ્જા માંથી છોડવામાં આવી હતી.ત્યારબાદ આજ દિન સુધી એક પણ બોટ છોડવામા આવી નથી.પકીસ્તાન દ્વારા ભારતીય બોટો ને છોડતી નથી જેને કારણે માછીમારો ને આર્થિક નુકસાની વેઠવા નો વારો આવી રહ્યો છે.
માછીમારો દ્વારા સરકાર માં અવારનવાર પાકિસ્તાન ના કબ્જા માંથી બોટો છોડવા રજૂઆતો કરી છે.પરંતુ હજુ સુધી રજૂઆતો નું કોઈ નકર પરિણામ આવ્યું નથી.તો બીજી તરફ માછીમારો ની બોટો પાકિસ્તાન પકડાય જતા માછીમારો પર આર્થિક ભારણ વધી રહ્યું છે.સાથો સાથ માછીમારો ને ગુજરાન ચાલવું પણ મુશ્કેલ બન્યું છે.તો હજારો લોકોની રોજીરોટી પર પણ અસર પડી રહી છે.ત્યારે ભારત સરકાર પાકિસ્તાન ના કબ્જા માં રહેલ બોટો ને છોડાવા માંગ કરી રહ્યા છે.