કેન્દ્ર સરકારે પ્રિકોશન ડોઝ લેવાની જાહેરાત કરી પરંતુ જે લોકોને કોરોના થયો હોય તેવા લોકો માટે ખાસ સમય કર્યો નક્કી
પ્રિકોશન ડોઝ આપવા અંગે કેન્દ્રની ગાઇડલાઇન
કોરોનાથી સાજા થયા બાદ 3 મહિનાની રાહ જુઓ
3 મહિના સુધી પ્રિકોશન ડોઝ ન આપવો
રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેવામાં સરકાર દ્વારા કોરોના ગાઇડલાઇનમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. વધતા કેસને પગલે હવે કેન્દ્ગ સરકાર દ્વારા પ્રિકોશન ડોઝ આપવાનું શરુ કરવામાં આવ્યુ છે પરંતુ આ ડોઝ લેવા માટેની પણ ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે જે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હોય તે પછી સાજા થયા બાદ તેના 3 મહિના વેક્સિનનો એક પણ ડોઝ આપવામાં ન આવે. તેમજ પ્રિકોશન ડોઝ પણ ન આપવા જણાવ્યુ છે..
કેન્દ્રએ રાજ્યોને લખ્યો પત્ર
પ્રિકોશન ડોઝને લઇને કેન્દ્ર સરકારે રાજ્યોને પત્ર લખતા જણાવ્યુ કે કોરોનામાંથી સાજા થયા પછી 3 મહિના સુધી પ્રિકોશન વેક્સીનનો કોઈ ડોઝ ન આપવો જોઈએ. રસીકરણ અંગે કેન્દ્ર દ્વારા જારી કરાયેલ નવી સૂચનાઓ મુજબ નવા આદેશમાં કહ્યું છે કે કોરોના વાયરસથી સંક્રમિત લોકોએ સાજા થયા બાદ સાવચેતીના ડોઝને પણ આગામી 3 મહિના માટે મોકૂફ રાખવા જોઈએ. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિક સચિવ વિકાસ શીલે કહ્યું છે કે કોવિડ રોગથી ગ્રસ્ત વ્યક્તિઓને સાવચેતીના ડોઝ આપવા અંગે માર્ગદર્શન માટે વિવિધ ક્ષેત્રો તરફથી વિનંતીઓ મળી છે. તેમણે કહ્યું, “કૃપા કરીને નોંધ કરો કે લેબ ટેસ્ટમાં કોરોના સંક્રમિત થયાની પુષ્ટિ થઈ હોય તેવા લોકો કોરોનામાંથી સાજા થાય તે બાદ પછીના 3 મહિના માટે રસીનો એક પણ ડોઝ આપવો ન જોઇએ "
વૈજ્ઞાનિક પુરાવાને આધારે સૂચન
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિક સચિવ વિકાસ શીલે પત્રમાં વધુમાં જણાવ્યુ હતુ કે કૃપા કરીને સંબંધિતઅધિકારીઓ આ વિષય પર સંજ્ઞાન લેવા માટે નિર્દેશ આપે. કેન્દ્રની તરફથી આ સુચન વૈજ્ઞાનિક પુરાવા અને રસીકરણ પર રાષ્ટ્રીય તકનીકી સલાહકાર સમૂહની ભલામણ પર આધારિત છે.
પ્રિકોશન ડોઝ અંગે 25 ડિસેમ્બરે કરી હતી જાહેરાત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 25મી ડિસેમ્બરના દિવસે કોરોના વોરિયર્સને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ઓમિક્રોન અને ત્રીજી લહેરને કારણે દેશમાં કોરોનાના કેસોમાં મોટા પ્રમાણમાં વધારો થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
મહત્વનુ છે કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્ર દ્વારા પહેલેથી જ સૂચિત કરવામાં આવ્યું છે કે તેઓને પ્રથમ બે ડોઝ લેનારા પાત્ર લોકોમાં રસીનો ત્રીજો ડોઝ એટલે કે પ્રિકોશન ડોઝ મળશે.
24 કલાકમાં 3.37 લાખ કેસ
ભારતમાં કોરોનાના ગત 24 કલામાં 3.37 લાખ કેસ સામે આવ્યા છે. સતત આ ત્રીજો દિવસ છે. જ્યારે કોરોનાના દેશમાં 3 લાખથી વધારે કેસ સામે આવ્યા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 21 લાખ થઈ છે.
એક દિવસમાં કોરોનાથી 488 લોકોના મોત
ગત 24 કલાકમાં દેશમાં કોરોનાથી 488 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના 4, 88, 884 લોકોના મોત થયા છે.
દેશમાં 5 સૌથી વધારે સંક્રમિત રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર ટોપ પર છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 48, 270 કેસ સામે આવ્યા છે. આ બાદ કર્ણાટકમાં 48, 049, કેરળમાં 41,668 કેસ, તમિલનાડુમાં 29,870 કેસ, ગુજરાતમાં 21 225 કેસ સામે આવ્યા છે.