દેશમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે જમ્મૂ કાશ્મીરમાં પણ 24 કલાકમાં ફક્ત 73 નવા દર્દીઓ આવ્યા છે અને મોતનો આંક 0 રહ્યો છે. આ એક રાહતની વાત છે.
જમ્મૂ કાશ્મીરમાં ઘટ્યું કોરોના સંક્રમણ
24 કલાકમાં એક પણ દર્દીનું મોત નહીં
24 કલાકમાં 73 નવા કેસ આવ્યા સામે
જમ્મૂ કાશ્મીરમાં કોરોના વાયરસના રોજના કેસની સંખ્યા સતત ઘટી રહી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અહીં 73 નવા કેસ આવ્યા છે અને સાતે એક પણ દર્દીનું મોત થયુ નથી. આ મહામારીથી બહાર આવેલા 73 લોકોનો હોસ્પિટલથી રજા પણ આપી દેવામાં આવી છે. લાંબા સમય બાદ આ એક રાહતના સમાચાર છે.
24 કલાકમાં એક પણ કોરોના દર્દીનુ મોત નહીં
નવા કેસમાં 31 ખંડ અને 42 કેસ કાશ્મીરના છે. અહીં જમ્મૂના 5 જિલ્લાઓ કોરોના મુક્ત થવાના આરે છે. અહીં છેલ્લા કેટલાક દિવસોથી એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો નથી. ડોડા, રાજોરી, કઠુઆ, કિશ્તવાડ અને રિયાસીમાં પણ કોરોનાના રોજના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. નેશનલ હેલ્થ મિશનના આંકડા અનુસાર સ્વાસ્થ્ય મંત્રાલયની માહિતી અનુસાર રાજ્યના અન્ય 15 જિલ્લાની સ્થિતિમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે.
અત્યાર સુધી 1 લાખથી વધુ લોકો થયા સંક્રમિત
આંકડા પર નજર કરીએ તો એક લાખથી વધારે લોકો એટલે કે કુલ 1,24,019 અહીં સંક્રમિત થઈ ચૂક્યા છે. આમાંથી 1,20,987 દર્દીઓ સારવાર બાદ ઘરે પરત ફર્યા છે. તેમાંથી 1929 લોકોના મોત થયા છે. તેમાં કાશ્મીર ડિવિઝનથી 1209 લોકોના મોત થયા છે. તો હવે દેશમાં 1098 સક્રિય કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે. તેમાં પણ હવે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
ફક્ત 11 ટકા હેલ્થ વર્કર્સને મળી વેક્સિન
16 જાન્યુઆરીથી દેશમાં શરૂ થયેલા વેક્સીનેશનના પહેલા ચરણમાં જમ્મૂ કાશ્મીરના 1,07,821 હેલ્થ વર્કર્સને કોરોનાની વેક્સિન લગાવવાની છે. 6 દિવસ થયા બાદ પણ ફક્ત 11,647 ને જ વેક્સિન મળી શકી છે. તેમાં જમ્મૂ ડિવિઝનના 5781 અને કાશ્મીર ડિવિઝનના 479 હેલ્થવર્કર્સ સામેલ છે. જમ્મૂમાં પાંચ જિલ્લા ડોડા, રામબન, રિયાસી, સાંબા અને ઉધમપુરમાં વેક્સિન અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. જ્યારે જમ્મૂ, કઠુઆ, કિષ્તવાડ, રાજૌરીમાં ઓછા સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સિન મળી છે.