કોરોનાની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં સંક્રમણ વધુ જોવા મળ્યું હતું, ત્યારે સુરેન્દ્રનગર પાટડી તાલુકાના છેવાડાનું વિસનગર ગામ કે, જ્યાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી
સુરેન્દ્રનગર પાટડીનું વિસનગર ગામ બન્યું કોરોના મુક્ત
સરપંચ તથા ગ્રામજનોના સહિયારા પ્રયાસનું પરિણામ
કોરોનાની બીજી લહેરમાં નથી નોંધાયો એક પણ કોરોના પોઝિટિવ કેસ
સુરેન્દ્રનગર પાટડીનું છેવાડાનું વિસનગર ગામ કોરોના મુક્ત બન્યું છે. પ્રથમ લહેરમાં ચાર પોઝીટીવ કેસ આવ્યા બાદ સરપંચ અને આરોગ્યની ટીમ તથા ગ્રામજનોના સહિયારા પ્રયાસનું પરિણામ આજે જોવા મળ્યું છે. કોરોનાની બીજી લહેરમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી.
કોરોનાની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં સંક્રમણ વધુ જોવા મળ્યું હતું. ત્યારે સુરેન્દ્રનગર પાટડી તાલુકાના છેવાડાનું વિસનગર ગામ કે, જ્યાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. કોરોનાની પહેલી લહેરમાં 4 પોઝીટીવ કેસ નોંધાયા બાદ આરોગ્યની ટીમ અને સરપંચ દ્વારા ગામ લોકોને જાગૃત કરી સતત મોનિટરિંગ રાખી ઉકાળા વિતરણ, નાસ અપાવી ગત વર્ષે ગામને સંપૂર્ણ કોરોના મુક્ત બનાવવામાં સફળ રહ્યા છે.
વિસનગર આરોગ્ય ટીમમાં કમ્યુનિટી હેલ્થ ઓફિસર અને વિસનગરના મહિલા સરપંચ દ્વારા ગામ લોકોને કોરોના અંગે જાગૃત કરવામાં આવ્યા જેના પરિણામે કોરોનાની બીજી લહેરમાં પાટડીનું વિસનગર ગામ કોરોના મુક્ત રહેવા પામ્યું છે. પાટડીનું વિસનગર ગામ 1300થી વધારે વસ્તી ધરાવે છે. અને માત્ર પાંચ લોકોએ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે.
તેમ છતાં સરપંચ અને આરોગ્ય ટીમના સહિયારા પ્રયાસથી ગામમાં કોરોનાની રસી અંગે જાગૃતતા લાવવા ના કારણે 50થી વધુ લોકોએ કોરોનાની રસી લીધેલ છે. તથા દરરોજ 20 લોકોને રસી આપવાની કામગીરી ચાલુ છે. વિસનગરમાં વધુ ભાગે અશિક્ષિત લોકો રહે છે. તેમ છતાં મહિલ સરપંચ, પૂર્વ સરપંચ અને આરોગ્યની ટીમ પ્રયાસ થકી રસીકરણમાં સહકાર આપી રહ્યા છે. જે ભણતર કરતાં ગણતર વધારે છે તે સુત્રને સાર્થક કરે છે.