અમરેલીના નાના આંકડિયા ગામમાં કોરોનાનો એક પણ કેસ નહી, આ ગામના 45થી ઉપરની ઉંમરના લોકોમાંથી 85 ટકા વેક્સિનેશન પૂર્ણ
ગુજરાતનું એક ગામ જે થઇ ગયું કોરોના મુક્ત
અમરેલીનું નાના આંકડિયા ગામ કોરોનામુક્ત થયું
45થી ઉપરના 85 ટકાને વેક્સિન પણ અપાઇ ગઇ
ગુજરાતનું એક એવું ગામ જે થઇ ગયું છે કોરોના મુક્ત, અમરેલીનું નાના આંકડિયા ગામ કોરોના મુક્ત થઇ ગયું છે. અને આજે અમરેલીના નાના આંકડિયા ગામમાં કોરોનાનો એક પણ કેસ નથી. સાથે જ અહિંયા 45થી ઉપરની ઉંમરનાને 85 ટકા વેક્સિનેશન પણ થઇ ગયું છે. અત્યાર સુધી ગામમાં માત્ર 20 લોકો જ કોરોના પોઝિટિવ આવ્યા. અને કોઇને પણ હોસ્પિટલમાં સારવારની જરૂર પડી નથી. તમામ હોમ આઇસોલેશનમાં રહીને સાજા થઇ ગયા છે. અમરેલીનું 3 હજારની વસ્તી ધરાવતું નાના આંકડિયા ગામ લોકો માટે પ્રેરણા છે.
મહત્વનું છે કે, ઉત્તર ગુજરાતમાં પણ પાટણ જિલ્લાનું કોરોનાના કહેર વચ્ચે રાહતના સમાચાર આવ્યા હતા. શંખેશ્વરનું નવીકુંવર ગામ કોરોના મુક્ત થઇ ગયું છે. ગામમાં 47 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. કેસ આવતા જ 14 દિવસનું સંપૂર્ણ લોકડાઉન કરાયું હતું. જે ઘરમાં કેસ આવ્યા હોય તેને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયા હતા. હાલ ગામના તમામ કોરોના દર્દીઓ સ્વસ્થ થઇ ગયા છે. અત્યારે ગામમાં એકપણ કોરોનાનો કેસ નથી.