મહિલાઓ માટે નાકમાં નથ પહેરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલતી આવે છે અને આજે પણ મોટાભાગની યુવતીઓ નાકમાં નથ જરૂર પહેરે છે. નથ સોળ શ્રૃંગારમાં સામેલ છે. તેનાથી યુવતીઓની સુંદરતા વધે છે. સામાન્ય રીતે તેને માત્ર શ્રૃંગારની દ્રષ્ટિએ જોવામાં આવે છે પરંતુ નથ પહેરવા માટે નાકમાં જે છિદ્ર કરવામાં આવે છે તેનાથી યુવતીઓને અનેક સ્વાસ્થ્ય લાભ પણ મળે છે જાણો નાક વીંધાવાથી ક્યા-ક્યા લાભ મળે છે.
- જે રીતે શરીરના જુદા-જુદા ભાગને દબાવવાથી એક્યૂપ્રેશરનો લાભ મળે છે એવી જ રીતે નાક વીંધાવાથી એક્યૂપ્રેશરનો લાભ મળે છે. તેના પ્રભાવથી શ્વાસ સંબંધી રોગો સામે લડવાની શક્તિ મળે છે. કફ શરદી ઉધરસ વગેરે રોગોમાં પણ તેનાથી લાભ મળે છે.
- આયુર્વેદ મુજબ નાકના એક મુખ્ય ભાગ પર છિદ્ર કરવાથી સ્ત્રીઓને માસિક ધર્મ સાથે જોડાયેલી અનેક મુશ્કેલીઓમાં આરામ મળી શકે છે.
- સામાન્ય રીતે યુવતીઓ સોના અથવા ચાંદીથી બનેલી નથ પહેરે છે. આ ધાતુઓ સતત આપણાં શરીરના સંપર્કમાં રહે છે તેથી તેના ગુણ શરીરને પ્રાપ્ત થાય છે. આયુર્વેદમાં સ્વર્ણ ભસ્મ અને રજત ભસ્મ અનેક બીમારીઓમાં દવાના રૂપમાં કામ કરે છે.