ભારતમાં ATM કાર્ડનો ઉપયોગ કરતા લોકોએ સાયબર એટેકથી સાવધ રહેવાની જરુર છે. ઉત્તર કોરિયાના એટેકર્સ તેના એક માલવેર (વાયરસ) દ્વારા ભારતમાં એટીએમ સિસ્ટમને નિશાન બનાવી રહ્યું છે. આ માલવેર સીધો સિસ્ટમમાં દાખલ કરેલા કાર્ડમાંથી ડેટાની ચોરી કરી શકે છે. ઉત્તર કોરિયાના હેકર્સ એટીએમ ડીટ્રેકર નામના બેંકિંગ માલવેરનો ઉપયોગ કરે છે.
ભારતના એટીએમ સિસ્ટમ ઉત્તર કોરિયાના એટેકર્સના નિશાને
હેકર્સ એટીએમ ડીટ્રેકર નામના બેંકિંગ માલવેરનો ઉપયોગ કરે છે
એટીએમનો પિન સીધો એટેકર પાસે પહોંચી જાય છે
આ માલવેર વિશેની પ્રથમ માહિતી કેસ્પરસ્કાઇના ગ્લોબલ રિસર્ચ એન્ડ એનાલિસિસ ટીમના સિકયુરિટી એકસપર્ટ કોન્સ્ટન્ટિન જાયકો દ્વારા આપવામાં આવી હતી. જાયકોના જણાવ્યા મુજબ ભારતીય એટીએમ કાર્ડ યુઝર્સ પર આ હુમલો લઝારસ ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેનો હેતુ ડેટા ચોરી કરવાનો છે. તેમણે ચેતવણી આપી છે કે આ માલવોર હજુ પણ સક્રિય છે અને સાયબર એટેકમાં તેનો ઉપયોગ કરી શકાય છે.
લાજરસ ગ્રુપનું નામ સૌ પ્રથમ વર્ષ 2014માં ગાજ્યું હતું. જ્યારે તેના એટેકર્સે સોની પિક્ચર્સ એન્ટરટેનમેન્ટ પર માલવેર હુમલો કર્યો હતો. આ સિવાય 2016માં અમેરિકા અને બ્રિટન સહિતના ઘણા દેશોમાં પણ રેન્સમવેર હુમલા કર્યા હતા. કેસ્પરસ્કાયના નિષ્ણાતોએ અહેવાલ આપ્યો છે કે એટીએમડીટ્રેકર માલવેર કાર્ડ અને પિનની માહિતી રેકોર્ડ કરે છે.
આનો અર્થ એ કે તમે એટીએમ મશીનમાં ક્યારે અને કયો પિન દાખલ કર્યો છે તે સીધો એટેકર પાસે પહોંચી જાય છે. ત્યારબાદ હેકર્સ બેંક ખાતામાંથી પૈસા ગાયબ કરી શકે છે. આ માલવેર રિમોટથી કાર્ય કરે છે. તેથી હેકરને એટીએમ સેન્ટર સુધી જવાની પણ જરુર પડતી નથી.