ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન ગંભીર રીતે બીમાર છે. કિમ જોંગ ઉન જિંદગી અને મોત સામે ઝઝુમી રહ્યા છે. કિમ જોંગ ઉનનું ઓપરેશન કરવામાં આવ્યું છે ત્યાર બાદ તેમની તબીયત લથડી છે. મળતી માહિતી મુજબ કાર્ડીઓવૈસ્ક્યલરના કારણે તેમની સારવાર ચાલી રહી હતી. હાલમાં જ કિમ જોંગની સર્જરી કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમનું બ્રેઈન ડેડ થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે.
The South Korean government on Tuesday was looking into US media reports saying North Korean leader Kim Jong Un was in fragile condition after surgery: The Associated Press (file pic) pic.twitter.com/8POavzvVYi
અનેક જગ્યાઓએ કિમ જોંગની ઘટતી હાજરીના કારણે તેઓ પહેલાંથી જ ચર્ચામાં હતા. અગાઉ એક શંકા હતી કે તે લાંબા સમયથી બીમાર છે અને સરકાર તેને છોડવા માંગતી નથી. જોકે, ઉત્તર કોરિયા સતત આવા દાવાઓને ખોટા ગણાવી રહ્યું છે.
કિમ જોંગના પિતાના અવસાન સમયે પણ થયું હતું આવું
આ વાત તેમના પિતાના સમયમાં પણ જોવા મળી હતી. 2008 માં, કિમ જોંગ ઇલે પણ રાષ્ટ્રીય રજામાં ભાગ લીધો ન હતો. બાદમાં તેમને કહેવાયું કે તેમને હાર્ટ એટેક આવ્યો છે, ત્યારબાદ તે બીમાર રહેવાનું શરૂ કર્યું અને 2011માં તેનું અવસાન થયું. 2014ની શરૂઆતમાં, કિમ જોંગ થોડા મહિનાઓ માટે ગાયબ થઈ ગયો હતો, જેના પછી દાવો કર્યો હતો કે તે ગંભીર રીતે બીમાર છે.
કિમ જોંગે બહેનોને આપી છે આ ખાસ જવાબદારી
ભૂતકાળમાં કિમ જોંગ ઉન, તેની નાની બહેન કિમ યો જોંગ, દેશ માટે મોટા નિર્ણયો લેતા ઈલીટ જૂથમાં શામેલ હતા. આ જૂથ અહીં ઉત્તર કોરિયાની તમામ વ્યૂહાત્મક ચાલ મળીને લે છે અને કિમ યોની એન્ટ્રી પછી, માનવામાં આવે છે કે તે હવે કિમ જોંગ ઉન પછીની સૌથી શક્તિશાળી નેતા બની ગઈ છે. કિમ યો જોંગને કિમ જોંગના રાજકીય સલાહકાર પણ માનવામાં આવે છે.