ઉત્તર કોરિયામાં કોરોના વાયરસનો કહેર શરૂ થઈ ગયો છે. બે વર્ષ સુધી સંક્રમણની ના પાડનારા આ દેશે આખરે આંકડા જાહેર કરવાના શરૂ કરી દીધા છે.
ઉત્તર કોરિયામાં કોરોનાનો કહેર
કોરોનાના કેસોનો આંક઼ડો અને મોતનો આંકડો વધવા લાગ્યો
તાનાશાહ સરકાર કોરોના નહીં પણ તાવ હોવાનું રટણ લગાવી બેઠી
ઉત્તર કોરિયામાં કોરોના વાયરસનો કહેર શરૂ થઈ ગયો છે. બે વર્ષ સુધી સંક્રમણની ના પાડનારા આ દેશે આખરે આંકડા જાહેર કરવાના શરૂ કરી દીધા છે. જેનાથી જાણવા મળે છે કે, સ્થિતિ હાલમાં ત્યાં કંટ્રોલ બહાર ગઈ છે. અહીંના સરકારી મીડિયામાં આવેલા આંકડા અનુસાર જોઈએ તો, શનિવારે 1,74,440થી વધારે લોકોમાં તાવના લક્ષણો જોવા મળ્યા છે. જ્યારે તાવના કારણે 21 લોકોના મોત પણ થઈ ગયા છે. તાનાશાહીની વચ્ચે જીંદગી જીવતી પ્રજાતિ કોરોનાની વેક્સિન પણ લઈ શકી નથી. શુક્રવારે કુલ 27 લોકોના મોત થઈ ગયા હતા, જ્યારે કુલ 5,24,440 લોકો બિમાર થયા છે.
કોરોનાથી પોઝિટીવ હોવાનું નથી સ્વિકારતા તાનાશાહ
અહીં એપ્રિલના અંતિમ અઠવાડીયામાં મોટી સંખ્યામાં લોકો તાવથી બિમાર થયા હોવાનું સામે આવ્યું હતું અને તેના આંકડા હજૂ પણ વધતાં જ જાય છે. ઉત્તર કોરિયાનું કહેવુ છે કે, 2,43, 630 લોકો બિમારીથી સાજા થઈ ગયા છે, જ્યારે 2,80,810 લોકો હજૂ પણ ક્વોરન્ટાઈન છે. સરકારી મીડિયાએ એ નથી જણાવ્યું છે કે, તાવ અને મોતના કેસમાં કેટલા કોવિડ પોઝિટિવ હતા. પ્રથમ કેસ સામે આવ્યા બાદ ગભરાયેલા કિમ જોંગે દેશભરમાં લોકડાઉન લગાવાની જાહેરાત કરી દીધી હતી.
સંક્રમણથી ગભરાયેલા કિમ જોંગે શું કહ્યું ?
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગે શનિવારે વાયરસ વિરુદ્ધ અપનાવેલી રણનીતિઓને લઈને બેઠક કરી હતી. જેમાં વાયરસને ઐતિહાસિક રૂપથી ગણાવ્યું હતું. સાથે જ સંક્રમણને રોકવા માટે સરકાર અને લોકોની વચ્ચે એકતા હોવાની પણ બડાઈ હાંકી હતી. નિષ્ણાંતોનું કહેવુ છે કે, જો ઉત્તર કોરિયા કોવિડ 19 ફેલાતા રોકવામાં નિષ્ફળ રહેશે, તો વિનાશકારી પરિણામ આવશે. દેશની સ્વાસ્થ્ય સિસ્ટ્મ પડી ભાંગી છે અને 2.6 કરોડની વસ્તી વેક્સિન લીધા વગર રહી ગઈ છે.
ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થઈ રહ્યા છે લોકો
સરકારી મીડિયાનું કહેવુ છે કે, દેશની રાજધાની પ્યોંગયાંગમાં તાવના લક્ષણોવાળા લોકોના રવિવારે સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમને કહ્યું કે, લોકો એમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થઈ રહ્યા છે. જો કે, લોકોની સંખ્યા જણાવી નથી. તો વળી ઉત્તર કોરિયાએ ઓમિક્રોનથી મરનારા લોકો પાછળ ફક્ત એક કારણ જણાવ્યું છે. તો વળી બાકીના મોત પાછળ તાવ હોવાનું કહી રહ્યા છે. એવું પણ કહેવાય છે કે, હાલમાં 25 એપ્રિલે ઉત્તર કોરિયામાં પરેડનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો અને સૈનિકો જોડાયા હતા. એવું પણ બની શકે છે કે, આ દરમિયાન વાયરસ મોટા પ્રમાણમાં ફેલાયો હોય.